________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૪૨ થાય. પુર્ણ છે ઈ નિમિત્ત છે, તે નિમિત્તથી કહેવું (કહે પુણ્ય હોય તો થાય) આહા... હા... હા.... હા !
(કહે છે કે.) એ તો સમાનજાતીયના પરમાણુઓ ત્યાં છે એની પર્યાયો ત્યાં થાય છે. પુણ્ય (કર્મ) ના પરમાણુઓ સમાનજાતીયના છે એ નાથી આ બહારનું (કાર્ય) થાય છે એમે ય નહીં. પુણ્યને લઈને પૈસા આવે છે એમ નહીં એમ કહે છે (અહીંયાં). આહા.... હા! (અન્ય ક્ષેત્રથી) આમ આવે એમ કે આમ આવે. બીજે છે તે આમ આવે છતાં પૈસાની પર્યાય જે હતી પૂર્વની તેનો વ્યય થઈ, અને આ ઉત્પન્ન થઈ. પૈસાના પરમાણુ કાયમ રહ્યા, કર્મને લઈને નહીં (પણ) પરમાણુને લઈને આમ ચ્યું છે. આહા.... હા! ભારે કામ! આ ઓલો (કહે છે ને) પાંગળો બનાવી દીધો આત્માને, પાંગળો નથી બનાવ્યો, એની જ્ઞાતા-દ્રષ્ટાની શક્તિનો વિકાસ કર્યો છે! આહા... હા! “જાણનાર દેખનાર પ્રભુ તું છો.” બીજી વાત' મૂકી દે! આહા.... હા!
(કહે છે) પરનું હું કરી દઉં, બાયડીનું હું કરી દઉં. “અર્ધાગના” કહે બાયડીને ! ધૂળે ય નથી અર્ધગના, એનું શરીર જુદું ને એનો આત્મા જુદો! એના આત્માની ને શરીરની પર્યાય એનાથી થાય છે. તારાથી થાય છે ત્યાં? આહા...હા...હા ! થોડામાં કેટલું નાખ્યું !! આહા...હા !
(અહીંયાં કહે છે કે, “તેમ બધાય અસમાન જાતીય દ્રવ્યપર્યાયો ” પહેલા ઈ લીધું. પહેલામાં સમાનજાતીયનું લીધું દાખલો (આપ્યો) પછી બધાય સમાનજાતીય દ્રવ્યને લઈ લીધું. આખી દુનિયાના દ્રવ્યો - ચાર અરૂપી છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને બે (કાળ ને પુદ્ગલ) “તે જીવ ને પુદ્ગલ તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે, “તેમ બધાય અસમાનજાતીય” નારકીનું શરીર ને નારકીનો જીવ, એ અસમાનતજાતીય (દ્રવ્યપર્યાય ) છે અને નારકીના શરીરનો એ જે સમયે વ્યય થાય, તે જ સમયે શરીરના પરમાણુ બીજી રીતે પરિણમે અને શરીરનો ત્યાં વ્યય થાય, અને મનુષ્યપણામાં આવે (તેમાં) ઓલાનો વ્યય થાય (નારકીગતિનો અને ઓલાનો ઉત્પાદ થાય (મનુષ્યગતિનો). અંદર આત્મા તો કાયમ છે. કર્મને લઈને નર્કમાંથી (મનુષ્યમાં) આવ્યો એમ નહીં. કર્મને લઈને નર્કમાં ગ્યો એ નહીં. કહે છે ને આને નર્ક આયુષ્ય બાંધ્યું છે ને એટલે કર્મ નર્કમાં લઈ ગ્યા (આત્માને) એમ નથી. ઈ જીવની પર્યાયનો ઉત્પદ કાળ જ ઈ જાતનો આમ અંદર જવાનો છે. એક-એક પૂર્વની પર્યાયનો વ્યય, નવીનો ઉત્પાદ, આત્માનું કાયમ રહેવું (છે.) આહા... હા! આવું બધું કોણે કર્યું હશે કે આવું? ભગવાન કહે છે કે મેં કર્યું નથી. હું તો પાણી આવી' તી, વાણી વાણીને કારણે આવી છે. (શ્રોતાઃ) કંઈ કરે નહીંને કહેવાય ભગવાન! (ઉત્તર) સર્વજ્ઞભગવાન કહે છે મેં કાંઈ કર્યું નથી. વાણીને ય કરી નથી. કારણકે વાણીનો પર્યાય પહેલા નો તો. સમાનજાતીય પરમાણુમાં. પછી ઉત્પન્ન થયો (પર્યાય ) પરમાણુ કાયમ રહ્યા. ઈ તો ભાષાવર્ગણા ઊપજે છે. ઈ વાત કીધી' તી પાલીતાણે, પાલીતાણે ગ્યા ને રામવિજયજી હતા (શ્વેતાબંર) અરે, એમ ખોટી વાત છે કેવળી ભાષા પહેલે સમયે ગ્રહે, બીજે સમયે છોડે, ઈ ગ્રહ ને છોડે? આહા.... હા... હા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com