________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૪૪ પ્રમાણે પોતાથી (અર્થાત્ દ્રવ્યપણે) ઘુવ.” છે ને? ( પાઠમાં) દ્રવ્યને બે ઠેકાણે – બે અર્થ કરવા. પછી નીચે છે (ફૂટનોટમાં) દ્રવ્ય' શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે (૧) એક તો, સામાન્યવિશેષના પિંડને સામાન્ય ત્રિકાળ રહેવું અને પર્યાય વિશેષ, એ બે થઈને પણ દ્રવ્ય કહેવાય છે. સામાન્યવિશેષનો પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમકે દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ છે. ઈ રીતે દ્રવ્ય કહેવામાં આવે છે. (૨) બીજું, વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. શું કીધું? ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય – ત્રણ થઈને એક એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે અને એક ધ્રૌવ્ય છે તેને પણ દ્રવ્ય કહેવાય છે નયની અપેક્ષાએ. આહા.... હા! દ્રવ્ય કહેવામાં બે પ્રકાર છે ઉત્પાદ-વ્યય તો છે. ઈ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય ત્રણ મળીને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રમાણનું (દ્રવ્ય). અને ઉત્પાદવ્યય વિના એકલું ધ્રુવ ત્રિકાળી એનું લક્ષ કરાવવા ધ્રૌવ્યને પણ દ્રવ્ય કહે છે. એ નયનું દ્રવ્ય છે. અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત આખું પ્રમાણનું દ્રવ્ય છે. આ રે... આહા..પ્રમાણ શું ને નય શું? વસ્તુસ્થિતિ એવી છે ભાઈ !
આ પ્રમાણે પોતાથી (અર્થાત દ્રવ્યપણે) દ્રવ્યના બે અર્થ લીધા. લીધા ને? ધ્રુવ અને દ્રવ્યપર્યાયો દ્વારા ઉત્પાદ વ્યય એવાં દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.” દરેક દ્રવ્ય, દરેક પદાર્થ ઉત્પાદવ્યયને ધ્રૌવ્યસ્વરૂપ છે. એ રીતે દ્રવ્ય કહીએ અને ઉત્પાદ-વ્યય છોડીને ત્રિકાળીને પણ દ્રવ્ય કહીએ. (એમ) દ્રવ્ય' કહેવામાં બે પ્રકાર છે.
વિશેષ કહેશે....
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com