________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૫
પ્રવચનસાર પ્રવચનો ૩૬૩ દ્રવ્ય જુદું થઈ જાય. દ્રવ્ય પોતાથી-સ્વરૂપ (થી) સત્તા ન હોય તો સત્તાથી દ્રવ્ય જુદું થઈ જાય. આહાહા ! “જો અસત્ હોય તો, ધ્રૌવ્યના અસંભવને લીધે પોતે નહિ ટકતું થયું.” વસ્તુ છે ઈ અસત્ હોય, સત્તા સ્વરૂપ ન હોય, હોવાપણાના ગુણવાળું ન હોય, તો તે અસત્ હોય. તો તે ધ્રૌવ્યના અસંભવને લીધે, કાયમ રહેવું એના અસંભવને લીધે, પોતે નહિ ટકતું થયું, દ્રવ્ય જ પોતે ટકતું નથી. (તેથી) “દ્રવ્ય જ અસ્ત થાય” છે. વસ્તુ નાશ પામી જાય છે. સમજાય છે કાંઈ ? બધો ન્યાયનો વિષય છે! આ “પ્રવચનસાર'.
કહે છે વસ્તુ (જ) છે. એ વસ્તુ, પોતાથી સત્તા ન હોય, પોતાથી હોવાપણે નહોય, તો સત્ છે ઈ બીજું થઈ જાય, સથી દ્રવ્ય બીજું થઈ જાય એમ પોતાથી સત્ ન હોય, એ તો અસત્ થઈ જાય. આહા... હા! હા! “દ્રવ્ય જ અસ્ત થાય.” છે” એવું જો દ્રવ્ય પોતાથી છે એમ ન હોય, તો તે દ્રવ્યનો નાશ થાય. આહા.. હા.. હા! “જો સત્તાથી પૃથક હોય.” વસ્તુ જે છે ભગવાન આત્મા કે પરમાણુ (વગેરે) એની સત્તા નામના ગુણથી જો તે (સત્ ) જુદું હોય. “તો સત્તા સિવાય પણ પોતે ટકતું (હયાત રહેતું) થયું.” સત્તા સિવાયથી પણ પોતે ટકતું, સત્તાથી હોવાપણે થ્ય અને સત્તા સિવાય જે હોય તો, સત્તા સિવાય પણ પોતાથી ટકતું (-હયાત રહેતું) થયું, “એટલે જ માત્ર જેનું પ્રયોજન છે.” એ ટકતું તત્ત્વ છે ઈ સત્તા છે. પણ પોતાથી હયાત છે. અને એમ ન હોય તો, સત્તા સિવાય પણ “એટલું જ માત્ર જેનું પ્રયોજન છે.” સત્તાનું પ્રયોજન એ છે કે દ્રવ્ય પોતે પોતાથી છે. જો ઈ સત્તાને ન માને, તો દ્રવ્ય નો જ અભાવ થઈ જાય. અસ્તિત્વ ન રહે “છે' ઈ છે સત્તાથી છે. સત્તાની ના પાડે તો વસ્તુ અસ્ત થઈ જાય. આહા... હા! સમજાય છે! “એવી સત્તાને (જ) અસ્ત કરે.” એટલે શું કહે છે? દ્રવ્ય પોતે વસ્તુ, પોતાથી સ્વરૂપે સત્ ન હોય, તો સત્તા વિનાની એ ચીજ નાશ થઈ જાય. એ દ્રવ્ય જ નથી એમ થાય. “સત્તા” છે તો આત્મા-દ્રવ્ય છે. એમ જો સત્તા ન માને. અથવા (સત્તાને સથી) ભિન્ન માને તો (દ્રવ્યનું) હોવાપણું જ નકાર થઈ જાય. દ્રવ્યના હોવાપણાની (જ) નાસ્તિ થઈ જાય. આહા... હા... હા !
(અહીંયાં કહે છે કેપરંતુ જો દ્રવ્ય સ્વરૂપથી જ સત્ હોય તો-” હવે! (માર્મિક છે) પોતે પોતાથી જ સત હોય, સત્તા સત છે એમ. સત્તા ગુણ છે. પણ, પોતાથીજ સત હોય. વસ્તુ પોતાથી જ સત છે. પરમાણુ (એ) પરમાણુ પોતાથી સત્ છે. આહા... હા ! તો “ધ્રૌવ્યના સદ્ભાવને લીધે પોતે ટકતું થયું” ઈ દ્રવ્યમાં સત્તા (ગુણ) છે. તેથી પોતે જ પોતાથી ટકતું થયું “દ્રવ્ય ઉદિત થાય છે (અર્થાત્ સિદ્ધ થાય છે.) ” કહે છે (તેથી) દ્રવ્યની સિદ્ધિ થાય છે. આહા.... હા! આવું છે. વાણિયાને વેપાર સિવાય હવે આવી વાતું (સમજવી) બીજી જાતની છે આ બધી ! અહીંયાં સત્તાગુણ, અસ્તિત્વ ગુણ, સત્તાગુણ, (એ જા અસ્તિત્વ, એ આત્મા (ને સત્તાગુણ ) બે અભેદ છે. જો એમ ન હોય તો અસ્તિત્વ વિના, સત્તાના ગુણ વિના દ્રવ્ય જ, તેનો અભાવ થઈ જાય. આહા... હા... હા! સમજાણું? “સત્તાથી પૃથક રહીને પોતે ટકતું (હયાત રહેતું) થકું એટલું જ માત્ર જેનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com