________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૬ ઈ પોતે બધા વિપ્ન ને બૈરાંઓ બધા જૈન છે. આવ્યા” તો બિચારા, કાંઈ ખબરુ ન મળે બિચારાને! વાતું મોટી કરે. અને ઓલા સાંભળનારા બચારાં સાધારણ હોય, મોટપ નાખીને મારી નાખે! આહા... હા ! બાપુ મોટો તો પ્રભુ તું અંદર આનંદને જ્ઞાનથી મોટો છે. આહા... હા! અરે.. રે! એ ચૈતન્ય હીરલો અંદર છે, ચૈતન્ય હીરો! જેમ હીરાને પાસા હોય છે એમ આ ચૈતન્ય (હીરાને) અનંતગુણના પાસા હોય છે. આહા... હા! એ ગુણની વર્તમાન અવસ્થા થાય, તે ગુણ-પર્યાય છે. ગુણ-પર્યાય એટલે દ્રવ્ય-વસ્તુ છે. ગુણ-પર્યાય તે દ્રવ્યથી અનેરી ચીજ નથી. આહા... હા! સમજાય છે કાંઈ ! આપણે અહીંયાં ચુંમાલીસ વરસથી હાલે છે. સવાયુમાલીસ વરસ તો આંહી ચ્યા. જંગલમાં ! પીસતાલીસ વરસે આવ્યાને આંહી. સવાયુમાલીસ થ્યા. ૯૧ માં ફાગણ વદ ત્રીજે આવ્યા. આ બધું કરોડો રૂપિયા નખાઈ ગ્યા પછી. એની પર્યાય થવા કાળે થાય, એમાં કોઈથી થાય નહીં હોં! આહા.... હા.. હા !
(કહે છે કેઃ) “અસ્તિ” છે કે નહીં. જે દેખાય છે ને દેખનારો છે. દેખાય છે ને દેખનારો છે, એ અતિ છે કે નહીં, સત્તા છે કે નહીં, મૌજુદગી ચીજની છે કે નહીં? તો મૌજુદ જે ચીજ છે એ કાયમ રહેનારી છે ને અનાદિ-અનંત (છે.) એ ચીજ છે એમાં અનંતા ગુણ ભર્યા છે. (એટલે ધ્રુવ છે) નવું-નવું થાય એ તો પર્યાય-અવસ્થા થાય. ગુણ ને દ્રવ્ય એ તો કાયમ છે. અવસ્થા બદલે રૂપાંતર થાય. પણ રૂપાંતર ને ગુણ એ દ્રવ્ય છે, દ્રવ્ય છે, દ્રવ્યથી ઈ જુદાં નથી.' આહા...હા...હા ! આવો ઉપદેશ હોય !! છે? (પાઠમાં).
(અહીંયાં કહે છે કે, “દ્રવ્ય પોતે જ ગુણના પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પર્યાયે પરિણમતું થયું, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો વડે પોતાની હયાતી અનુભવતું હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો સાથે અભિન્ન હયાતી હોવાથી એક જ દ્રવ્ય છે.” દ્રવ્ય એટલે વસ્તુ. અથવા દ્રવ્ય એટલે દ્રવતતિ દ્રવ્યમ’ પાણીનો પિંડ જેમ હોય ને પછી તરંગ ઊઠે – દ્રવે તરંગ એમ વસ્તુ છે. (તેની) પર્યાય-અવસ્થા બદલે છે, એ અવસ્થાને દ્રવ્ય કરે છે. ઈ તેને દ્રવ્ય કહીએ. ઈ દ્રવ્યની પર્યાય પોતે દ્રવેકરે છે. પણ એની પર્યાય બીજો કોઈ દ્ર-કરે ઈ ત્રણ કાળમાં બનતું નથી. માને ન માને સ્વતંત્ર છે. આહા હા પરમ સત્ય આ છે. સત્સ ત્ સાહેબ! ચૈતન્યપ્રભુ! અનંત આનંદ ને અનંતજ્ઞાનથી ભરેલો પદાર્થ છે પ્રભુ (આત્મા) ! એની અવસ્થા ક્ષણે-ક્ષણે થાય છે (એટલે કે દ્રવે છે) ઈ અવસ્થા ને ગુણ થઈને ઈ દ્રવ્ય છે. શરીર થઈને દ્રવ્ય છે. ને વાણી થઈને. દ્રવ્ય છે. ને. પૈસા થઈને દ્રવ્ય છે. ન. બાયડી લઈને દ્રવ્ય છે... ને... બાયડી અર્ધાગના કહેવાય, ધૂળમાંય નથી અર્ધાગના! આહા... હા ! સાંભળને.. હવે! બાયડી વળી એને પતિદેવ કહે. ઈ વળી એને ધરમપત્ની કહે. એમ ભાષામાં ઓગાળે ! કોણ હતા બાપા! વસ્તુ જુદી છે. આહા... હા! જુદી જુદી ચીજને જુદું કોઈ કરે ઝીણું પડે ભાઈ ! એક તત્ત્વ, બીજા તત્ત્વને અડે નહીં. કેમ બેસે? આત્મ ભગવાન અંદર અરૂપી, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ વિનાનો અને જ્ઞાન, દર્શન, આનંદવાળો! એ શરીરને અડતો નથી. અને આ શરીરના રજકણો એ આત્માને અડતા નથી. કેમ કે આ તો જડ-રૂપી છે કે પ્રભુ (આત્મા) અરૂપી છે. આહા. હા! (શ્રોતાઃ) તાવ આવે છે ત્યારે દુ:ખે છે કેમ? (ઉત્તર) દુઃખે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com