________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩૫ એ પર્યાયનો વ્યય થઈને આમ (દાંડી) થાય છે. ઈ પરમાણુને લઈને થાય છે, હાથને લઈને નહીં. અને એની પહેલી પર્યાયનો વ્યય થ્યો બીજી પર્યાયની ઉત્પત્તિ થઈ, પરમાણુ દ્રવ્ય તરીકે કાયમ રહ્યાં. આહા... હા... હા ! આવી વાતું વે! ઓલી તો દયા પાળો... વ્રત કરો... અપવાસ કરો... બસ ઈ (વાતું ) હાલે ! (આત્મા) દયા પાળી શકતો નથી ને દયા પાળો (કહેવું) ઈ વાત જૂઠી છે – ખોટી છે. પદ્રવ્યની પર્યાય, એ પણ આત્મા કરી શકતો નથી. આહા... હા... હા ! વ્રતને તપના પરિણામ હોય તો એ શુભરાગ છે. એ કાંઈ ધરમ નથી. એ શુભરાગેય તે કાળે થાય, તેની જન્મક્ષણ છે. અને પૂર્વની પર્યાયનો વ્યય થાય, દ્રવ્ય-ગુણ કાયમ રહે. આવો જે નિર્ણય કરે, એની દૃષ્ટિ, દ્રવ્ય ઉપર જાય. દ્રવ્ય ઉપર જતાં શુભભાવનો વ્યય થઈ અને સમકિતની પર્યાય ઉત્પન્ન થાય. આત્મા એમ ને એમ રહે આખો ( પૂર્ણ. ) આહા...હા...હા ! આવો મારગ છે! આહા...!
( અહીંયાં કહે છે કેઃ ) “તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો.” જોયું? ઓલું– (૫૨માણુનું તો દૃષ્ટાંત આપ્યું. ત્રણ ૫૨માણુ ને ચા૨ ૫૨માણુનું દૃષ્ટાંત આપ્યું “તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો.” આ શરીરના, પુસ્તકના, લાકડીના બહારના (બધા પરમાણુ પદાર્થોના) આહા... હા ! બધા પરમાણુઓ પુદ્દગલો. છે? ( પાઠમાં) “દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે.” દ્રવ્યોની-પદાર્થોની વર્તમાન અવસ્થા છે ઈ નાશ થાય છે. અને પછી બીજી અવસ્થા “ઉત્પન્ન થાય છે” પરંતુ સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (-ધ્રુવ છેઃ ) આહા....હા...હા ! પરમાણુ ત્રણને ચારનો દાખલો આપી, (એમાં કહ્યું કે) ત્રણ પ૨માણુનો પિંડ (જે) ચાર પરમાણુ પિંડરૂપે થ્યો તો એ ત્રણ ૫૨માણુની પર્યાયનો વ્યય થ્યોને ચા૨ ૫૨માણુની પિંડની પર્યાયરૂપે ઉત્પન્ન થ્યો અને પરમાણુઓ તો ધ્રુવ રહ્યા. એમ બધા દ્રવ્યોનું લઈ લેવું (સમજી લેવું) કહે છે. સમાનજાતીય બધા પરમાણુ (ની વસ્તુસ્થિતિ એ જ છે.) આહા... હા! ગજબ વાત છે!!
(કહે છે કેઃ ) આ થાંભલી છે લ્યો! થાંભલી છે ને...! એની વર્તમાન પર્યાય દેખાય છે, એ ઘણા પરમાણુ પિંડની પર્યાય (છે.) એ પર્યાય બદલે છે. અને પછી નવી અવસ્થા એમાં થાય છે. અને પરમાણુ કાયમ રહે છે. એ (થાંભલી ) કડિયાએ કર્યુંને કરી ત્યાં, રામજીભાઈએ ધ્યાન રાખ્યું માટે (સરખું ) કર્યું એમ નથી આહા... હા ! વજુભાઈ ! વજુભાઈએ ધ્યાન કર્યું (રાખ્યું) લ્યો ને..! ( પણ એમ નથી.) આહા... હા ! ( શ્રોતાઃ ) પ્રમુખને તો ધ્યાન રાખવું જ પડે ને...! (ઉત્ત૨:) પ્રમુખ તરીકે ને...! આહા... હા ! શું પ્રભુની વાણી !! આહા... હા !
(કહે છેઃ) જેમ ત્રણ પરમાણુને ચા૨ પરમાણુની વાત કરી. કે ત્રણ પરમાણુ એકલા હતા એની પર્યાય અને ચોથાને એની પર્યાય થઈ. (તેમાં ) ત્રણની પર્યાય વિનષ્ટ થઈ, ચોથાની પર્યાય નવી ઉત્પન્ન થઈ ને પરમાણું એમને એમ રહ્યા. એમ આ જગતના જેટલા પદાર્થો (છે.) આ જડ-એક ૫૨માણુથી માંડીને અનંત ૫૨માણુના આ સ્કંધ (જેવા કે) પુસ્તકના, આંગળીના, હાથના, જીભના,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com