________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૫ છે. વ્યતિરેકો વિના અન્વય ન હોય તે અન્વયે વિના વ્યતિરેકો ન હોય. ભાગ્યશાળી છે કે આવા ભાવ બાપુ! સંતોએ તો ગજબ કામ કર્યા છે દિગંબર સંતોએ! આહા... હા! ટૂંકી ભાષામાં ઉત્પાદ, વ્યય ને ધ્રુવને સિદ્ધ કરે છે! જે વસ્તુનો સ્વભાવ છે, સ્વભાવ છે તેમાં દ્રવ્ય પ્રવર્તે છે. જેના સ્વભાવમાં દ્રવ્યસ્વભાવ પ્રવર્તે છે તે સ્વભાવ ઉત્પાદ-વ્યયને ધ્રુવ સત્ છે. સત્ તે લક્ષણ છે. “તત્ત્વાર્થસૂત્ર” (સત્ द्रव्यम् लक्षणम्).
(અહીંયાં કહે છે કે, “જો મૃત્તિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની (દ્રવ્યોની) સ્થિતિ જ ન થાય.” (એટલે કે) માટીનો નાશ થાય (તો તેની જેમ ) બધાય દ્રવ્યોનો નાશ થઈ જાય. આહા.... હા! સ્થિતિ = ટકવું, ટકવું તત્ત્વ ઉત્પાદ-વ્યય વિના જોવા જાય તો સ્થિતિ જ નહીં રહે અથવા કાં” સ્થિતિનો નાશ થશે. સમજાણું કાંઈ ? (વકીલને) વકીલાત ને ન્યાય! લોજિકથી મૂકયું છે બધું! આહા...! વીરનો મારગ છે શૂરાનો. આ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ બાપુ! આમાં સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ ! અમથું ઈ દ્રવ્યને પકડવા પણ મતિ-શ્રુતની સૂક્ષ્મ બુદ્ધિ હોય તો પકડી શકે. રાગથી નહીં, ‘ષથી નહીં, દયાથી નહીં, સ્થૂલથી પણ નહીં. (ઉપયોગને સૂક્ષ્મ કરવાથી પકડાય ) આહા.... હા !
(કહે છે) ભગવાન આત્મા! સ્થિતિ છે ને...! સ્થિતિનો અર્થ છે: ટકવું-ટકવું તત્ત્વ, એની સ્થિતિ એકલી ગોતવા જાય તો જે કંઈ સૂક્ષ્મ ઉપયોગથી જે જણાય છે, એ સૂક્ષ્મ ઉપયોગનો નાશ થાય. અને કાં” એ સૂક્ષ્મ ઉપયોગ ક્ષણિક છે તો સ્થિતિ પણ ક્ષણિક થઈ જાય છે. આહા... હા.... હા... હા! સમજાય છે? પ્રવીણભાઈ ! બીજી જાત છે. આ કોઈદી' બાપ દાદેય સાંભળી ન હોય લ્યો! આહા.... હા! ભારે વાત છે બાપા! શું થાય? ધ્રુવ એકલો ગોતવા જા, તો ઉત્પાદ એના કારણ વિનાસંહારકારણ (વિના) વ્યતિરેક વિના અન્વય સિદ્ધ નહીં થાય. વ્યતિરેક સહિત અન્વય છે. જો તું એકલા અન્વયને સિદ્ધ કરવા જા, વ્યતિરેક વિના નાશ થશે. આહા.... હા.... હા.. હા! વાહ! “અથવા ક્ષણિકનું નિત્યપણું થાય.” કાં તો પર્યાય ક્ષણિક છે તે નિત્ય થશે. એકલું – એકલું નિત્યપણું ગોતે છે ને...? એકલું નિત્યપણું ગોતે છે ને અનિત્યપણું તો નથી ગોતતો. આહા... હા! એટલે પર્યાયમાં નિત્યપણું આવી જશે. આહા. હા! આવો ઉપદેશ કઈ જાતનો લ્યો! આહા.... હા!
(અહીંયાં કહે છે કેઃ) (૨) જો ક્ષણિકનું નિત્યપણું થાય તો ચિત્તના ક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય.” ઓલામાં- (એકલા સંહારના બોલમાં) ચૈતન્ય (વગેરેનો પણ ઉચ્છેદ થાય ) લીધું” તું. અહીંયા ચિત્તના ક્ષણિક (ભાવો) (એટલે) કલ્પના (લીધું છે.) “ચિત્તના ક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય.” (અર્થાત્ મનનો દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ બને.” આહા... હા! એકલી સ્થિતિ ગોતવા જા, તો ઉત્પાદ ને વ્યય જે ક્ષણિક છે તે નિત્ય થઈ જાય. એ નિત્ય થઈ જાય વ્યતિરેક વિનાનું છે (તેથી) નિત્ય ન રહે. ક્ષણિક થઈ જાય. આ તો ફરીવાર લેવાનું કહ્યું? તું! (તેથી લીધું.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com