________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૪ આહા.... હા.... હા! કો” મીઠાલાલજી! આવી વાતું છે!
(કહે છે) આ દુકાને હું બેઠો ને પછી પાંચ-પચીસ લાખ ભેગા થ્યાને... આ ધૂળ થઈ... ને. આ યું. બધી માન્યતા) ગપે–ગપ્પ છે! આહાહા.... હા! (શ્રોતા:) દુકાન છે તો બેઠો છે નહીંતો ઘેર બેસતને.... (ઉત્તર) હું! ઘેર જ બેઠો છે મફતનો કલપના કરે છે. પરને તો અડે છે જ કેદી' ? શરીરને અડયો નથી, વાણીને અડયો નથી, ધૂળ (પૈસા) આ તમારા કારખાનાને (આત્મા) અડયો નથી. આહા... હા! (શ્રોતા ) ધ્યાન ન રાખવું? (ઉત્તર) ધ્યાન રાખે તો પોતામાં ધ્યાન છે ત્યાં ક્યાં ધ્યાન રાખ્યું છે? ધ્યાનની પર્યાય તો અહીંયા (પોતાની) છે. એ પર્યાયની ઉત્પત્તિ તો પોતાના પૂર્વપર્યાયના અભાવથી થઈ છે. સામી ચીજ છે માટે ઉત્પત્તિ થઈ છે? આહા... હા ! (શ્રોતા:) તો તો કોઈ ધંધો કરી શકે નહીં...! (ઉત્તર) ધંધો તો ધંધાને કારણે થાય છે. આહાહાહા ! એ લોઢાનો કળશો વ્યાપ્યો. તો ઈ લોઢાના કળશાની ઉત્પત્તિ ઈ લોઢાને કારણે થઈ છે. પૂર્વનો એ લોઢાનો જે ભાવ હતો એના અભાવથી આ (ઉત્પત્તિ) થઈ છે. પાછા અભાવથી થઈ બે (ઉત્પન્નસંહાર) એ અવય વિના હોય નહીં. વ્યતિરેકો વિના એ લોઢું કાયમ રહે- (ધ્રુવ રહે) એ વિના હોય નહીં. લોઢું અન્વય,
વ્યતિરેક વિના હોય નહીં. (ઉત્પાદ-વ્યય) વ્યતિરેક વિના લોટું (અન્વય) ન હોય અને લોઢું (અન્વય) વિના વ્યતિરેક ન હોય. કાયમ –ટકવું એ વ્યતિરેક વિના ન હોય અને વ્યતિરેક ધ્રુવ વિના ન હોય. આહા.... હા.. હા! આવી વાત! આ સોનગઢનું છે ‘આ’? (શ્રોતા:) (પંડિતોને) અભિમાનના ઝેર ચડી ગયો છે..! (ઉત્તર) આહા..! આ મારગ એવો બાપા!!
(અહીંયા કહે છે કે, “અથવા તો અસતો જ ઉત્પાદ થાય.” જોયું? એકલો ઉત્પાદ શોધવા જાય, અને પૂર્વના (ઉત્પાદન) કારણનો નાશ ન હોય. અને એની ઉત્પત્તિનું મૂળકારણ ધ્રુવ ન હોય તો ઉત્પત્તિ જ ન થાય એક વાત. બીજી વાત અસત્નો જ ઉત્પાદ થાય. સંહાર વિના સર્ગ (ઉત્પત્તિ ) ન થાય અને ધ્રુવ વિના આસનો (જા ઉત્પાદ થાય. ધ્રુવ છે તો ઉત્પન્ન થાય. ઉત્પન્ને એકલો ગોતે ધ્રુવ વિના તો અસતનો ઉત્પાદ થાય. આહા... હા હા ! સમજાય છે કે નહીં? આહા...! આવા ધરમ કરો ને કોણ ત્યાં સામું જુએ! “ઈચ્છામિ, પડિકમ્મામિ, ઇરિયા વહિયા, તસ્સ ઉત્તરી કરણેણ” થઈ ગ્યો લોગસ્સને..! “કરમ્ ઈદમ્ નમોત્થણમ” એ સામાયિક ! ધૂળેય નથી એ બધી (ક્રિયાકાંડની ક્રિયા) મિથ્યાત્વ છે. આ હું કરું છું અને હું પૂછું છું. ” આ મેં પથરણું પાથર્યું ને....! (સામાયિક કરી ને લોગસ્સ કર્યો !) આહા...હા..હા ! એક એક પર્યાયની ઉત્પત્તિ એના ધ્રુવથી અને સંહારથી (એટલે ) પૂર્વના પર્યાયના વ્યયથી થાય છે. આહા. હા! (આ વીતરાગી તત્ત્વજ્ઞાન તો) પાણી ઊતારી નાખે એવું છે. અહીંયા તો અભિમાનના (શ્રોતા:) કર્તુત્વના અભિમાન ઉતરી જાય..! (ઉત્તર) હું! હા. ભગવાન સર્વજ્ઞદેવ, ત્રિલોકનાથ ! એણે જે પદાર્થની સ્થિતિ જોઈ, તો ઈ પ્રભુ એમ કહે છે “દરેક પદાર્થ પોતાના સ્વભાવમાં સદાય વર્તે છે પ્રભુ! અને તે સ્વભાવ તેનો ઉત્પાદ વ્યય ને ધ્રુવ છે.” બીજામાં વર્તે છે અને બીજાથી ઉત્પાદ-વ્યય થાય છે એમ નથી કહ્યું. આહા.... હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com