________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૬૨ દેવ-ગુરુની શ્રદ્ધાથી થાય, દેવ-ગુરુની કૃપાથી થાય, આહા... હા! આ ભગવાનના દર્શન ને મંદિરથી સમકિત થાય, એમ અહીં ના પાડે છે. આહા. હા! (શ્રોતા ) તત્ત્વનો અભ્યાસ કરવાથી થાય (ઉત્તર) ઈ તો શુભભાવ હોય છે. વસ્તુ છે. પ્રતિમા, જિનમંદિર એ વસ્તુ છે. પણ એ શુભભાવમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે એનાથી શુભભાવ થતો નથી. (પણ) શુભભાવમાં એ નિમિત્ત છે. ધર્મમાં નિમિત્ત છે એટલે એનાથી શુભભાવ થતો નથી. (પણ) શુભભાવમાં એ નિમિત્ત છે. ધર્મમાં નિમિત્ત છે એમ નહીં. આહા... હા! આવું ઘરના કારણમાં તો પૂર્વની પર્યાયનો નાશ તે કારણ છે અને કાં” પર્યાય જેનાથી ઉત્પન્ન થાય છે, અવય-એ કારણ છે. આહા.... હા.. હા ! મીઠાલલાજી! આવું ઝીણું છે!!
(કહે છે કે:) ચારિત્રની પર્યાય, વીતરાગી આનંદની પર્યાય, આહા....! એકલી તું (એને) ગોતવા જા, તો પૂર્વના દુઃખની પર્યાયના વ્યય વિના, આનંદની પર્યાયની ઉત્પત્તિ નહીં થાય. આહા.. હા! અને કાં, એકલી અસની ઉત્પત્તિ થઈ જશે. સત્ છે ભગવાન! અને સંહાર થાય છે તેથી ઉત્પત્તિ થાય છે. આહા... હા.... હા ! એકલો મિથ્યાત્વનો વ્યય ગોતવા જા, તો સમકિતની ઉત્પત્તિના કારણ વિના મિથ્યાત્વનો વ્યય જણાશે નહીં. અને તેને (વ્યયને) એકછો ગોતવા જા તો સનો નાશ થશે. આહા.... હા ! અને (એકલી) સ્થિતિ ગોતવા જા, તો ઉત્પાદ-વ્યયના કાર્ય વિના, આ ધ્રુવ છે ઈ પલટતી ક્રિયા દ્વારા જણાય છે કે આ ધ્રુવ છે. તો (તું) પલટતી અવસ્થા ન માન તો સ્થિતિ (ધ્રુવ) ન જણાય. (અર્થાત્ ) સ્થિતિ જ નહીં જણાય, સ્થિતિ જ ન રહે, અને કાં' સ્થિતિ તે ક્ષણિક થઈ જશે. કારણ કે પલટો તો ખાય છે. અને સ્થિતિ માનતો નથી (તેથી ક્ષણિક થઈ જશે.) આહા. હા! ભાઈ ! આવી વાત છે આજે તો આઠમ છે, જેઠ વદ આઠમ, આહા.... હા! ધીમે ધીમે ( વિચારવું) તે રાતે પૂછવું ન સમજાય તો હો ! (શ્રોતા ) સમજ્યા જ ન હોય તો રાત્રે પૂછી જ શું શકે? (ઉતરઃ) કાંઈક, કાંઈક (તો) સમજાય ને? એમ કહે છે. હવે ઘણાં વરસથી ચાલે છે આ (વ્યાખ્યાન ધારા) ચુંમાલીસ વરસ તો આંહી ચ્યાં સોનગઢ, સવા ચુંમાલીસ ઉપર હવે, વદ ત્રીજ ઉપર જેટલું જાય છે. આ પાંચમે પાંચ દી' થ્યા સવાયુમાલીસ (ઉપર). સવા ચુંમાલીસ ઉપર પાંચ દી” શું વીતરાગ મારગની શૈલી!! આહા....હા !
(કહે છે કેઃ) તને જોવાનું ધરમની ઉત્પત્તિમાં જોવાનું, સંહાર છે માટે ઉત્પત્તિ (છે.) ઉપાદાનકારણ છે તે સંહારથી વ્યય થ્યો. આહા. હા! ત્યારે તે ઉપાદાનકાર્ય-સમકિત આવ્યું આહાહાહાહા ! એક ઓલામાં કહ્યું છે ને...! પૂર્વપર્યાય સહિત દ્રવ્ય તે ઉપાદાન. આવ્યું ને છે ને ઈ...! ઝીણું ભઈ વળી મગજમાં આવી ગ્યું? “સ્વામી કાર્તિકેય (અનુપ્રેક્ષા) માં આવ્યું છે ને ઈ...!
જૈનતત્ત્વમીમાંસા' ફૂલચંદજીની છે કે નહીં (નવી આવૃત્તિ) બીજી હમણાં છપાણી છે ઈ.. નહીં હોય, બીજી છપાણી છે. બીજી–બીજી છે? ઠીક? રૂપિયા નવા-નવા આવે છે તો કેમ રાખે છે સંઘરીને!
જૈનતત્ત્વમીમાંસા' એક જૂની છે ને એક નવી (આવૃત્તિ) છે. એમાં મૂકયું છે કે પૂર્વની પર્યાય સહિતનું દ્રવ્ય એ ઉપાદાન, અને ઉત્તરની પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાદેય. ઓલું (ઉપાદાન) કારણ ને ઓલું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com