________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૬૮ ઉત્પત્તિનું કારણ છે. કેમકે ઉપાદાનકારણ એ છે પૂર્વે હતું ઈ. એનો ક્ષય થાય છે ત્યારે નવી પર્યાય થાય છે. આહા... હા! આ તો બીજી વાર હાલે છે. (ગાથા-સોમી ).
k
'
(કહે છે) કુંભની ઉત્પત્તિ છે તે મૃત્તિકાપિંડનો સંહાર છે. “કા૨ણ કે ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે.” એટલે કે ઘડાની ઉત્પત્તિ એવો જે ભાવ', એનાથી ભાવાંતર (અથવા ) અનેરો ભાવ તેના અભાવસ્વભાવે “ અવભાસન છે.” આહા.. હા! એટલા જ શબ્દોમાં!! ( પૂર્ણ સ્વરૂપસ્થિતિ છે.) ‘ભાવ’ એટલે ઘડાની પર્યાય જે ઉત્પન્ન થઈ. અથવા ‘ભાવ’ એટલે સમકિતની પર્યાય ઉત્પન્ન થઈ. ભાવનું ભાવાંતરના અભાવસ્વભાવે (એટલે કે) એ ‘ભાવ’ જે સમકિત છે એનાથી અનેરો ભાવ મિથ્યાત્વ, એના અભાવસ્વભાવે અવભાસન છે. (અથવા) સમકિતની ઉત્પત્તિ, મિથ્યાત્વના અભાવસ્વભાવે પ્રકાશે છે. કો' સમજાણું આમાં? આ તો દષ્ટાંત (કહ્યું ). બધા તત્ત્વોનું એ રીત. લઈ લેવું ઓહો... હો... હો !! સો ગાથા એ (અલૌકિક છે).
.
(કહે છે કેઃ ) દરેક દ્રવ્યની જે સમયે- તે અવસરે થવાની, તે અવસરે તેનો હોય તે જ સમયે (તે) પર્યાય થાય. તે પર્યાયનું કારણ સંહાર (કીધું) કારણ કે પર્યાય ‘ભાવ' છે તેનાથી ભાવાંતર સંહાર છે. ( સંહાર એટલે ) પૂર્વની પર્યાય. એના અભાવસ્વભાવે ( ઉત્પાદનું ) અવભાસન છે. ( અર્થાત્ ) ‘ભાવ ’ અન્યભાવના અભાવરૂપસ્વભાવે પ્રકાશે છે–દેખાય છે- આહા... હા ! સમજાણું ?!
આહા... હા ! કેવળજ્ઞાનની પર્યાય, એવો જે ‘ભાવ' એનાથી ભાવાંત૨ -પૂર્વની પર્યાય ઈ ભાવાંત૨– એના અભાવસ્વભાવે કેવળજ્ઞાન પ્રકાશે છે. -કર્મ-ક્ષયથી કેવળજ્ઞાન પ્રકાશે છે આ... રે આવું ‘તત્ત્વાર્થસૂત્ર’ માં તો એમ આવે કે ચાર (ઘાતી ) કર્મ... ક્ષય... થાય કેવળજ્ઞાન થાય. અહીંયા કહે છે કે એમ નથી. એ તો નિમિત્તનું કથન કર્યું'તું. બાકી એ તો કેવળજ્ઞાન થાય. ઈ ‘ભાવ' છે, એનાથી અનેરો ભાવ-પૂર્વની પર્યાય એનો અનેરો ભાવ છે– એના અભાવ થવાથી કે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આહા.. હા! કેવળજ્ઞાન પહેલાં, જે અપૂર્ણ જ્ઞાનદશા હતી, ચારજ્ઞાન આદિ (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય) એ કેવળજ્ઞાનના ‘ભાવ’ ની અપેક્ષાએ અનેરોભાવ છે. એ અનેરા ભાવના અભાવ વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ હોઈ શકે નહીં. આહા... હા! હવે અહીંયા તો (અજ્ઞાનીઓ કહે ) મનુષ્યપણું હોય તો કેવળજ્ઞાન થાય. વજ્રનારાચસંહનન હોય તો કેવળજ્ઞાન થાય, એ વાત તો રહેતી નથી. (એ વાત તો અજ્ઞાનીઓની છે.) આહા... હા... હા! અને દેશના ગુરુની મળે તો સમકિત થાય, તે વાતે ય રહેતી નથી. આહા...! કુગુરુ ઊંધી શ્રદ્ધાની પ્રરૂપણા કરે, અને ઓલો માને. તે આનાથી (ઓલે ) માન્યું છે એમ નથી. એની પર્યાયની ઉત્પત્તિ મિથ્યાત્વની ત્યાં, પૂર્વના મિથ્યાત્વની પર્યાયનો સંહાર થઈ, અને એ નવી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થઈ છે. આહા... હા ! કોઈ કહે ‘કે અમને કુગુરુ મળ્યા તો આ થ્યુ એમ ના પાડે છે અહીંયાં એમ ના પડે છે. આહા... હા... હા ! તેમ વળી અમને ગુરુ મળ્યા માટે આ (સમકિત ) થયું, એ ય ના પાડે છે. આહાહાહા ! કેમકે દરેક દ્રવ્ય, પોતાના સ્વભાવમાં
Please inform us of any errors on rajesh@Atma Dharma.com