________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૫ થાય એ તે જ ભાવ છે, જે ભાવ છે એ જ ભાવ ફરીને આવ્યો છે એમ નથી. કારંજાનો હતો ને કોક... હુતો ને એક. તે આવ્યો હતો. (અમારે તો અહીંયાં) ચર્ચા ઘણી થઈ ગઈ. આહા. હા! અરે, ભાઈ ! આહા..! આ તો સર્વજ્ઞ પરમેશ્વરે ત્રણ કાળ, ત્રણ લોક જોયાં. (જોયાં) એમ કહેવું એ પણ વ્યવહાર નયે (છે). કેમ કે (સર્વજ્ઞ) પરમાં તન્મય થઈને જતા નથી. આહા... હા... હા! “એ તો પોતાની પર્યાયને જાણે છે.” (એ નિશ્ચય છે).
(અહીંયાં તો કહે છે કે:) એ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકથી તો થઈ નથી, લોકાલોકના અભાવથી પણ થઈ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતાનો ભાવ છે, એનાથી ભાવાંતર – જે પૂર્વ પર્યાય હતી એનો અભાવ થઈને કેવળજ્ઞાનની પર્યાય થઈ છે. આહા... હા! સમજાય છે કાંઈ?
(અહીંયાં કહે છે કે, “જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાંપિંડનો સંહાર છે, કારણ કે ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે - દેખાય છે).” આહા... હા! જે સર્ગ છે – ઉત્પત્તિ છે, તે જ વ્યય છે અને વ્યય છે તે જ સ્થિતિ છે – ટકવું છે. કેમ કે ભાવ અન્યભાવના અભાવારૂપ સ્વભાવે પ્રકાશે છે અથવા દેખાય છે. ઉત્પાદ છે એનાથી અનેરા ભાવના અભાવસ્વરૂપે જ દેખાય છે, ઈ પર્યાયના ભાવ સ્વરૂપે જ દેખાય છે એમ નહીં. આહા... હા!
શું કહ્યું એ? વર્તમાન પર્યાય જે છે એનાથી અનેરી - ભાવાંતર પર્યાય, એટલે વ્યય. એના અભાવથી ભાવનું (ઉત્પાદનું) પ્રકાશન છે. એ ઉત્પાદ, પૂર્વના – પોતાના ભાવથી અનેરો ભાવ, એના અભાવથી તે ઉત્પાદ દેખાય છે. (અર્થાત્ ) ઉત્પાદ, એના અભાવથી દેખાય છે. (એટલે કે) પૂર્વભાવના અભાવથી ઉત્પાદ જણાય છે. આહા... હા! આવું ઝીણું છે! છતાં પકડાય એવું છે, કાંઈ (ન પકડાય એમ નહીં). આહા.. હા! (શ્રોતા ) ન પકડાય એવી કંઈ વાત કહે...! (ઉત્તર) એવી છે જ ક્યાં (આ વાત . કેટલા નિકાલ થઈ જાય છે એમાં – કર્મના કારણે થાય) પરના (કારણે થાય એમ છે નહીં.) (જુઓ!) આ આંગળી આમ હાલે છે (સીધી છે તેમાંથી વાંકી વળે છે) એ ઉત્પાદ છે. ઉત્પાદભાવથી અનેરો ભાવ ( એટલે) પૂર્વની પર્યાયનો (સીધી આંગળીની પર્યાયનો) વ્યય, જે આમ હતો ને એનો વ્યય થયો ને..! એ પૂર્વની પર્યાયનો વ્યય એના અભાવસ્વભાવે ઉત્પાદ પ્રકાશે છે. પરને – નિમિત્તને લઈને એ ઉત્પાદ પ્રકાશે છે એમ નથી. અંદર ભગવાન આત્મા છે માટે (આંગળીની) અવસ્થા આમ – આમ થાય છે એમ નથી. ઈ ( આંગળીની) અવસ્થા તેનાથી અનેરો ભાવ એટલે પૂર્વભાવ-વ્યયભાવ, તેના અભાવસ્વભાવે એ ઉત્પાદ દેખાય છે. આત્માને કારણે નહીં.) (શ્રોતા ) પર્યાય, પર્યાયના કારણે ને.! (ઉત્તર) એને કારણે. આહાહાહા ! પછી એ કહેશે. અત્યારે તો બીજાના અભાવસ્વભાવે પ્રકાશે છે એમ કહેવું છે. આહા. હા! એટલે અપેક્ષા લેવી છે. પછી તો અપેક્ષા ય કાઢી નાખશે એકસો એક (ગાથામાં) આહા.. હા.! અરે, આવી વાત છે બાપુ! અભિમાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com