________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૫૨ કારણ વિના ન થાય, એમ દરેક દ્રવ્યની પર્યાયની ઉત્પત્તિ, સ્થિતિ (એટલે ધ્રૌવ્ય – ટકવું) અને સંહાર (એટલે) પર્યાયનો અભાવ (એ) ન હોય તો એ પર્યાયો જ થાય. દરેક દ્રવ્યમાં – અનંતા દ્રવ્યો છે એમાં સ્થિતિ (ટકવું) ન હોય, અને પૂર્વનું સંહાર કારણ ન હોય અભાવ તો ઉત્પાદ જ ન થાય, દરેક દ્રવ્યનમાં (છ એ દ્રવ્યમાં) આહા.. હા! શું વસ્તુ (સ્થિતિ !) સમજાય છે કાંઈ? કુંભારના ઘડાની ઉત્પત્તિ એમાં કહે છે કે સંહાર ને સ્થિતિના કારણ વિના ઉત્પત્તિ થાય તો અસતની ઉત્પત્તિ થાય. એમ બધાં – અનંતા દ્રવ્યો, જે સમયે તેની (પર્યાયની) ઉત્પત્તિ થાય તેના પૂર્વની (પર્યાયના) સંહારના કારણ વિના અને સ્થિતિ વિના તે ઉત્પત્તિ થાય તો અસત્ – અસત્ - અસની ઉત્પત્તિ થાય એમ કહે છે. અધ્ધરથી ઉત્પત્તિ થાય (વસ્તુ વિના એમ બને નહીં.) આહા.. હા! ગહન વાત !! મુળ રકમ
છે !!
આહા... હા! (ન્યાય આપ્યો કે ) કુંભની ઉત્પત્તિ ન થાય તો, “બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય (અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈપણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે ) ” અથવા “જો અસતનો ઉત્પાદ થાય.” છે જ નહીં સ્થિતિ છે જ નહીં. વસ્તુમાં ઉત્પાદના કાળે પણ સ્થિતિ છે જ નહીં, તો અસનો ઉત્પાદ થાય. (અને) “જો અસનો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” નથી તેમાંથી ઉત્પન્ન થાય (તેમ માનવું) આકાશના ફૂલ (જેવું ) છે. આહા.. આહા. આવા-આવા શું પણ ન્યાય આપ્યા છે!! વેપારીઓને “આ જૈન ધર્મ' મળ્યો! હવે અત્યારે તો આવા ન્યાય! વકીલાતના જોઈએ અત્યારે તો બધા (ન્યાય ). (આ સર્વજ્ઞના ન્યાય ) મગજમાં બેસવું કઠણ પડે! છે તો સાદી ભાષા પણ બહુ (ન્યાય સૂક્ષ્મ છે!).
(અહીંયાં કહે છે કેતો બધાય (ભાવોની) દ્રવ્યોની ઉત્પત્તિ જ ન થાય.. અથવા જો અસનો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય.” આહા..! શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા લાગે એમ. શૂન્યમાં સ્થિતિ નથી, સંહારનો અભાવ નથી (અને ઉત્પાદ થાય) તો અધ્ધરથી થાય તો શૂન્યમાંથી થાય! એ સ્થિતિ સાથેનું વર્ણન ગ્યું.
વિશેષ કહેશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com