________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૫૧ ન થાય. આહા... હા.! સમજાણું કાંઈ ? ઉચિત નિમિત્ત વિના ઘડાની ઉત્પત્તિ ન થાય એમ ન કીધું. આહા હા ! ભાઈ ! આવી વાતું છે. અરે આવી વાતું સાંભળવી ! મળવી મુશ્કેલ છે બાપુ! આ તો પરમાત્માની જ્ઞાનની ધારા છે. ત્રણલોકના નાથ ! એનું કહેલું તત્ત્વ એની આ વાત ને ધારા છે બાપા! આહા.. હા ! એ વાત સાધારણ રીતે કાઢી નાખે! આહા. હા! શું પ્રભુના શબ્દો! શું ટીકાના શબ્દો! પ્રભુના જ શબ્દો છે (આ) વાણી !! આહા..! કેવળ એકલી ઘડાની ઉત્પત્તિ જ જોવામાં આવે “(વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય.” નીચે છે ( ફૂટનોટમાં) ઉત્પાદનકારણ = ઉત્પત્તિનું કારણ. ખરેખર તો સંહાર છે ને પર્યાયનો એ જ ઉત્પત્તિનું કારણ છે. ઈ તો આવી ગયું ને ઓલામાં -
જૈનતત્ત્વમીમાંસા' માં પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ (અર્થાત્ ) પહેલી પર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ. ઉત્તર પર્યાયયુક્ત દ્રવ્ય તે કાર્ય. જો પૂર્વ પર્યાય ન હોય તો ઉત્તર પર્યાય ક્યાંથી થાય? ઈ પૂર્વ પર્યાયને તેમાં (તેનો) ક્ષય કારણ કીધું. એ પૂર્વપર્યાયનો ક્ષય – સંહાર (કારણ છે) સંહાર ન હોય તો ઘડાની ઉત્પત્તિ ન હોય. આહા.... હા... હા! “મિથ્યાત્વનો વ્યય ન હોય તો સમકિતની ઉત્પત્તિનો જ અભાવ થાય.” આહા. હા ! સમજાણું કાંઈ ? મિથ્યાશ્રદ્ધાન એનો સંહાર ન હોય, વ્યય ન હોય અને ટકતું તત્ત્વ સામે ન હોય, તો ઉત્પત્તિ ક્યાંથી થાય? (ન થાય.) આહા...! એકલા લોજિકથી – ન્યાયથી વાત ભરી છે. (કેટલાક લોકો ) આમાં તર્કણા ઊપાડે. એ (સોનગઢનું) એકાંત છે, એકાંત છે. પ્રભુ! પ્રભુ! તું કર એમ બાપુ! “એકાંત જ છે.” અનેકાન્ત પણ અનેકાન્ત – પણ છે. અનેકાન્ત - સમ્યકએકાંત અને સમ્યઅનેકાંત એમ છે. આહા.. હા! તે તે પર્યાયનો અંશ તે તે તેનાથી થાય, તે “સમ્યક્ એકાંત છે.' નય છે ઈ સમ્યકએકાંત છે. પ્રમાણ છે ઈ સમ્યક અનેકાન્ત છે. આહા. હા!
અહીંયાં એમ કહે છે કે: એકલી ઉત્પત્તિ માનનાર (ની દોષદષ્ટિ છે.) જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાયનો વિશેષ જે ઉત્પાદ થયો. એની પહેલાંની જો પર્યાયનો સંહાર ન હોય – એની પહેલી પર્યાયનો વ્યય ન હોય, અને વસ્તુની સ્થિતિ (ધ્રૌવ્ય) ન હોય, તો ઈ ઉત્પાદ જ થાય નહીં. ઉત્પાદના કારણ વિના ઉત્પાદ થાય નહીં પણ કારણ આ – એની પૂર્વની પર્યાયનો વ્યય તે કારણ (છે). બીજું કોઈ કારણ નહીં, બહારનું (બાહ્યનું) કોઈ કારણ નહીં. આહા... હા.... હા ! (શું કહે છે?) ઉત્પાદના કારણના અભાવે ઉત્પત્તિ જ ન થાય. એક વાત. “અથવા તો અસહ્નો જ ઉત્પાદ થાય.” અસત્ અધ્ધરથી આકાશના ફૂલ જેમ થાય, એમ થાય. (જો) સંહાર ને સ્થિતિ ન હોય તો આકાશના ફૂલની જેમ થઈ જાય... આહા.... હા ! છે? “ અથવા તો અસનો જ ઉત્પાદ થાય.” અસત્ જ છે નહીં એનો ઉત્પાદ થાય. આહ... હા! સ્થિતિ અને સંહાર, એ વિના જો ઉત્પન્ન થાય તો તો અસતની ઉત્પત્તિ થાય, વિના સત્!! છે નહીં (ને કાર્ય થાય ?) એમ છે નહીં. એકલો ન્યાયનો વિષય ગોઠવ્યો છે ! આહા.. હા.. હા !
(કહે છે કેઈ એક વાત, બીજું “જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય.” આ તો (કુંભનો) તો દષ્ટાંત કીધો. કુંભની જે ઉત્પત્તિ, સ્થિતિ ને સંહારના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com