________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૫૪ નહીં આવે (અથવા) વ્યય જ હોઈ શકે નહીં. આહા... હા! લોજિક તો ભર્યા (છે) ભાઈ એકલા ! આહા. હા! “સંહાર કારણના અભાવને લીધે,”સંહારનું કારણ તો ઉત્પાદ છે. (માટીમાંથી) ઘડો ઉત્પન્ન થયો એ સંહાર એનું કારણ છે અને સંહાર (નું) કારણ ઉત્પાદ કારણ છે. (હવે જો કોઈ ) એકલો સંહાર ગોતવા જાય તો ઉત્પાદ વિના એ સંહાર હોઈ શકે નહીં. આવું છે ઝીણું !! “સંહાર જ ન થાય.” (એટલે કે) ઉત્પાદના કારણ વિના- ઘટની ઉત્પત્તિના કારણ વિના, પિંડનો વ્યય જ ન થાય. આહા...! સમજાણું કાંઈ ?
(કહે છે કે અથવા તો સત્નો જ ઉચ્છેદ થાય.” સંહાર એકલો ગોતવા જાય, તો છે તેનો નાશ થઈ જાય. (કમ કે) સંહાર (નું) કારણ ઉત્પાદ છે એનું (માટે). તેથી ઉત્પાદ (ને) કારણ ન માને અને (ઉત્પાદને પણ ન માને) અને સંહાર (એકલો ) ગોતવા જાય તો, સંહારનું કારણ તો ઉત્પાદ છે (તેથી) સંહાર જ સિદ્ધ નહીં થાય. અને કાં” સત્ છે તેનો સંહાર થશે. (અર્થાત્ ) નાશ થશે આહા.... હા! સમજાણું આમાં કાંઈ ?
(કહે છે) એકલો વ્યય ગોતવા જાય તો ઉત્પાદ-કારણ વિના વ્યય હોઈ શકે નહીં. એક વાત. અથવા જો વ્યય એકલો ગોતવા જાય તો “સત્ નો જ વ્યય થઈ જશે. તેનો નાશ થશે. આહા... હા! (ભાઈ !) ઝીણી વાત છે! ત્તત્ત્વજ્ઞાન વીતરાગનું બહું ઝીણું બાપુ! આહા..! લોકોને અભ્યાસ ન મળે, ને બહારથીય દંભ કરે ને. અમે માનીએ છીએ એમ માને પણ) ધરમ ક્યાં હતા! આહા.... હા.!
અહીંયાં કહે છે કે “ધર્મની ઉત્પત્તિના અભાવમાં મિથ્યાત્વનો વ્યય હોઈ શકે જ નહીં” એકલો મિથ્યાત્વનો વ્યય ગોતવા જાય, તો સમકિતની ઉત્પત્તિ વિના વ્યય હોઈ શકે નહીં. કો” બરાબર છે એમાં? (હા, પ્રભુ! બરાબર છે.) અને કાં” થય ગોતવા જાય એકલો (મિથ્યાત્વનો) તો સત્ છે જે ધ્રુવ ચીજ (આત્મવસ્તુ) તેનો નાશ થાય. (અભિપ્રાયમાં) આવું છે (વસ્તુતત્ત્વ) ઓલું તો સહેલું હતું એકેન્દ્રિયા.. બેઇન્દ્રિયા.. ત્રિઇન્દ્રિયા... ચતુઇન્દ્રિયો.. પંચેઇન્દ્રિયા... અભયા.. મિચ્છામિ દુક્કડમ થઈ ગઈ સામાયિક! ધૂળે ય નથી, સામાયિકે ય નથી ! (શ્રોતા:) સહુજ સામાયિક છે! (ઉત્તર) અ.. હા. હા.. હા! મિથ્યાત્વની સામાયિક થઈ, મિથ્યાત્વનો લાભ થ્થો !! આહા.. હા !
કહે છે કે સામાયિકની ઉત્પત્તિની અભાવમાં (એટલે) પહેલી અસામાયિક જે, વિષમતા હતી, તેને એકલી ગોતવા જાય (અર્થાત્ ) વિષમતાનો નાશ એકલો (એટલે ઉત્પાદ વિના) – સામાયિકની ઉત્પત્તિ, એની પૂર્વે અસામાયિકનો સંહાર (એ) સંહાર એકલો ગોતવા જાય તો ઉત્પત્તિના કારણ વિના સંહાર થઈ શકે નહીં. “સમ્યગ્દર્શનની ઉત્પત્તિ વિના, મિથ્યાત્વનો નાશ થઈ શકે નહીં. ચારિત્રની ઉત્પત્તિ વિના, અચારિત્રનો વ્યય થઈ શકે નહીં. “અને “થાય” તો કાં સત્નો નાશ થઈ જાય (અર્થાત્ ) ધ્રુવ (નો અભિપ્રાયમાં નાશ થઈ જાય). બે કારણ આપ્યા! સંહારકારણ અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com