________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૪૦ નથી. આહા.. હા!
(કહે છે કેબીજા દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની થાય બાપુ! (એકબીજા દ્રવ્ય) અડે ય નહીં (ને) આ શું કહે છે બાપુ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી.” ભગવાન આત્મ (દ્રવ્ય) કર્મના ઉદયને અડતું નથી. (કર્મ) એ જડ છે. પ્રભુ ચૈતન્ય અરૂપી છે. અરૂપી, રૂપીને કેમ અડે? કર્મ જડ છે એ આત્માને કેમ અડે? (કદી ન અડે.) આહા.. હા ! અને કર્મનો ઉદય પણ ઉત્પન્ન જે થયો, તે સત્તાની પર્યાયમાં અહીં સંહાર થ્યો. આહા. હા! એની સત્તાની પર્યાયનો સંહાર થ્યો (એ) ઉત્પન્ન કાળથી ભાવાંતર – અનેરો ભાવ જે સત્તાના પર્યાયનો અભાવ, એનાથી ઉત્પન્ન છે. આહા... હા. હા ! કો” (પંડિતજી )! આવું છે. “પ્રભુ ત્યાં રહ્યા (અમે) અહીં આવી ગ્યા!! આહા. હા! આ મારગ પ્રભુનો છે, હાલ્યો આવે છે. એના પડ્યા વિરહ! વાતું રહી ગઈ. એના અર્થ ઊંધા કરીને (અધર્મ ચલાવ્યો.) અને (આ સને) એકાંત છે (એકાંત છે) એમ ચલાવ્યું. શું થાય બાપુ! એમાં બીજાને નુકસાન નથી. ઈ (લોકો) એકાંત કહે તો બીજાને નુકસાન છે કાંઈ ? નુકસાન તો એને છે. આહા...
(કહે છે) આ “શય અધિકાર છે. છ એ દ્રવ્યો, એની પૂર્વ પર્યાયના સંહારનો ભાવ, એનાથી ભાવાંતર જે ઉત્પન્ન (ભાવ), એના ભાવથી ઉત્પન્ન ભાસે છે. અર્થાત્ (ભાવાંતર ભાવના) અભાવના ભાવથી (એ) ભાવ ઉત્પન્ન ભાસે છે. આહા.. હા. હા! દાખલા આખી દુનિયાના આવે એમાં (સિદ્ધાંત સમજવો જોઈએ). (સભાને ઉદેશીને) કો” થોડું – થોડું પકડાય છે કે નહીં? એ ભાઈ ! એ એમ કહે છે કે ભલાઈ – ભલાઈમાં મળે તેમ નથી. અહો... હો.. હો! આહા. હા! શું ગાથા !! સો.... સો... સો. તે, તે. આહા.... હા! ગજબ વાત છે !! હોય છે રાગ, હોય છે જ્ઞાનીને, શુભભાવ હોય છે, પણ તે તો શુભરાગ, શુભરાગને કારણે અને દેહની ક્રિયા દેહને કારણે થાય ભાઈ ! એને (જ્ઞાનીને) જે અશુભરાગ છે તેને, જાણવાની જે પર્યાય થઈ. એ અશુભરાગને લઈને ત્યાં નહીં, જાણવાની પર્યાય પૂર્વે એ જાતની ન્હોતી, તેનો અભાવ થઈને (આ) જાણવાની પર્યાય થઈ. આહા.... હા! ભાવ ને અભાવ બે ય ની અંદરમાં (રમત) છે આ. (શ્રોતા:) પૂર્વનો અભાવ (વર્તમાન) આ ભાવ. (ઉત્તર) “કારણ કે અભાવનું ભાવાન્તરના ભાવ સ્વભાવે અવભાસન છે (અર્થાત્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે). આહા.... હા! છે? બે બોલ ચ્યા. (હવે ) ત્રીજો (બોલ).
(અહીંયાં કહે છે કે ) “વળી જે કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે.” વળી જે કુંભની ઉત્પત્તિ ને પિંડનો વ્યય તે મૃત્તિકાની સ્થિતિ છે. તે જ સમયે મૃત્તિકાપિંડનો વ્યય છે. આહા. હા! ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એક સમયમાં છે. કેટલાક એમ કહે છે કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યમાંથી એક અંશ લ્યો ધ્રૌવ્યનો પર્યાયમાં, ધ્રુવ આખું ન લેવું. એમ નથી. ધ્રુવ પોતે જ અંશ છે. આખામાં ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ત્રણ થ્યા ને..! એ ત્રણેય ને પયાય કીધી છે. આવશે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com