________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૪૩ વિસદેશ છે. સમજાય છે કાંઈ ? અને અન્વય છે ઈ સંદેશ છે. એક જાતનું રહે તે સંદેશ. ઉત્પાદ – વ્યય વિસદેશ છે. કારણ? ઊપજે ને સંહાર, ઊપજે ને સંહાર (એક જાતના નથી માટે) વિસદેશ છે. ભાઈ ! આહા.. હા.! આવું છે. વાણિયાને વેપાર આડે નવરાશ નહીં ને, ન મળે ને ધરમ આ શું છે? (તત્ત્વની વાત સાંભળે નહીં.)
(અહીંયાં) કહે છે કે ઘડાની ઉત્પત્તિ તે ઉત્પાદ (છે). પિંડનો વ્યય તે સંહાર (છે). ઈ વ્યતિરેકો કહેવાય. ભિન્ન-ભિન્નતા (છે ને!) શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ઉત્પાદ-વ્યય છે એ વિરુદ્ધ છે. કારણ કે ઊપજે છે ને સંહાર છે એમ ચ્યું ને..! પર્યાય ઊપજે ને તે જ સમયે વ્યય. એમ
ચ્યું ને વિરુદ્ધ અને સ્થિતિ છે તે ટકતું તત્ત્વ છે તે અન્વય છે. (આગમમાં) એમ આવે છે. શું કહેવાય ઈ આગમ? ધવલ ! ધવલ, ધવલ ! ધવલમાં ઈ આવે છે. ઉત્પાદ વ્યય છે ઈ વિરૂદ્ધ છે. કેમ કે ઊપજવું અને વ્યય થવું છે. એક સમયમાં જ વિરૂદ્ધ અને ટકવું તે અવિરુદ્ધ છે. કેમ કે (તેમાં) સદેશપણું કાયમ રહે છે અને આ (ઉત્પાદવ્યય) વિસદેશ છે. વિદેશ કહો કે વિરુદ્ધ કહો ( એ કાર્ય છે.) આહા.... હા ! હવે આવું બધું! મુનિઓએ કેટલી મહેનત કરી છે !! જગતની કરુણા!! આહા! એક એક શ્લોકનું ને એક એક વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે !!
(અહીંયાં કહે છે કે, “વળી જે મૃત્તિકાની સ્થિતિ છે તે જ કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે, કારણ કે વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા, છોડતા) નથી.” આહા... હા! તે સ્થિતિ (એટલે અન્વયને) વ્યતિરેકો ઓળંગતા નથી. ઉત્પાદ-વ્યય જે છે વ્યતિરેકો – ભિન્ન ભિન્ન જાત. ઊપજવું અને સંહાર ભિન્ન (પર્યાય) થઈને.! એ જાત જ ભિન્ન થઈ ઊપજવું અને વ્યય (વિરુદ્ધ છે) એ ઊપજવું ને વ્યય (એટલે) વ્યતિરેકો અન્વયને (અર્થાત્ ) ટકવા તત્ત્વને છોડતા નથી. આહા... હા !હા! પરની હારે આંહી કોઈ સંબંધ નથી. પરથી થાય ને પર (નિમિત્તથી થાય). ઉચિત નિમિત્ત છે એમ કહેવાય, એનું જ્ઞાન કરવા, પણ તે નિમિત્ત છે માટે આમાં (ઉપાદાનમાં) કાંઈ ઉત્પાદ-વ્યય થાય છે એમ નથી. આહા... હા! ઉપર તો ગયું આ ! (શ્રોતા.) જ્ઞાન કરવા માટે જ્ઞાન! (ઉત્તર) નિમિત્ત છે, નિમિત્ત ચીજ છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરને પ્રકાશવાનો છે. પર ચીજ ય છે. તેનું જ્ઞાન કરવા નિમિત્ત છે. નિમિત્ત નથી એમ નહીં, પણ નિમિત્તથી અહીં ઉત્પાદ-વ્યય થાય એમ નથી. આહા... હા !
(કહે છે કે:) (ઘડો બને ત્યારે) કુંભાર નિમિત્ત છે, નિમિત્ત કહેવાય પણ એથી ઘડાની ઉત્પતિ થાય છે, કુંભારથી એમ નથી. આહા.. હા! મકાન થવામાં કડિયાને નિમિત્ત કહેવાય. પણ કડિયો નિમિત્ત છે માટે મકાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. (પરમાણુઓમાં) ઉત્પાદનો સમય છે માટે મકાનની પર્યાય થાય છે. પૂર્વ પર્યાય પિંડનો કે માટીનો કે પત્થરનો કે (સીમેન્ટનો) કે બીજી – ત્રીજી ચીજનો વ્યય થાય છે (અને ઘડો કે મકાનનો ઉત્પાદ થાય છે) એ ઉત્પાદ અને વ્યય એ વ્યતિરેકો છે, ભિન્ન ભિન્ન છે. (શ્રોતા.) મજુરોએ (કડિયાઓએ) તડકા સેવા કામ કર્યા. ... ને! (ઉત્તર) કોણ સેવે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com