________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૦૨ એમ નહીં. “ક્રમનિયમિત” નહીં. ક્રમે ને નિશ્ચય તે જ થાય તે થાય – હવે શું થાય? હવે એણે એમ કહ્યું કે: “સોનગઢનું સાહિત્ય ડૂબાવી દઈશ.” અરે, પ્રભુ ! મારગ તો આવો છે, ભાઈ ! આહા.... હા ! આવા ટાણા મળ્યા બાપા! પણ કોઈ કંઈ શું કહે. એ તારે શું કામ છે! આહા... હા !!
અહીંયાં તો કહે છે પોતાનું દ્રવ્ય. ત્રણ લક્ષણમાં પ્રવર્તતું પરંપરામાં - એ તો દ્રવ્ય પ્રવર્તે છે ને..! એ પ્રવર્તતું દ્રવ્ય એનો સ્વભાવ (છે.) . સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યાં ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે અને અતીન્દ્રિય આનંદ આવે છે. એ પુરુષાર્થને બધું આવ્યું ત્યાં. અકર્તાપણું આવ્યું, પુરુષાર્થ આવ્યો, આનંદ આવ્યો, અરે! અનંતા ગુણોની અસંખ્યાનો પાર નહીં એ અનંતાગુણો, એ વ્યક્તપણે બધાનો અંશ આવ્યો. સવારે નહોતું આવ્યું. જોગમાં પણ અંશનો ક્ષય થયો છે. આહા.... હા ! શું કહે છે આ? સમ્યગ્દર્શન થતાં દ્રવ્યસ્વભાવની દષ્ટિ થતાં, એને લાયક અવિરતિ – કેમકે ચારિત્રગુણ છે તેનો અંશ પ્રગટ થાય છે ભાઈ ! આહા.. હા! અરે.. રે! અને યોગ જે અનંતગુણમાં એ અજોગ નામનો ગુણ છે. આહા! એ પોતપોતાના અવસરે પરિણામ ચ્યાં એમાં વર્તતું દ્રવ્ય છે તેમાં એક અજોગ નામનો ગુણ છે. એ પણ અંશે, ચોથે ગુણસ્થાને અંશે પ્રગટ થાય છે. આહા.... હા! અરે (કોઈ કહે) અજોગ તો ચૌદમે આવે ને ભાઈ ! અજોગપણાનો અંશ પ્રગટ થાય પ્રભુ! આહા.. હા! ભગવંત તું કેવડો મોટો આહા.... હા તને જ્યાં (તારો) સ્વીકાર થી અજોગ (ગુણનો) અંશ પણ પ્રગટ થાય. આહા... હા! હું! વસ્તુસ્થિતિ આ છે. આમાં કોઈ વાદ-વિવાદને સ્થાન નથી) એવી સ્થિતિ છે.
(કહે છે કે, પોતપોતાના અવસરમાં થતા, આઘા-પાછો નહીં. એક ફેર કહ્યું 'તું ભગવાન પાસે ભક્તિ કરીને....! અહીં ભક્તિ કરીને (આવ્યાં) ઘણા વર્ષ થયાં. કહ્યું આવું – પાછું એટલે શું? ઈ શું આવું – પાછું? આ પર્યાય અહીંયાં થવાની (તે) અહીં થશે. અને ત્યાંની અહીં થશે? શું એની વ્યાખ્યા? આહા ! બાપુ! સ્વકાળે થાય છે તે થાય છે એમાં આવી – પાછી પ્રશ્ન ક્યાં છે? આહ... હા! “દુનિયા માને ન માને સત્ તો આ જ છે.” ઓલા વળી કહે કે ટૂંઢિયામાંથી તમે આવ્યા ને તમારી વાત સાચી ને અમારી ખોટી ? પ્રભુ! અમે ગમે ત્યાંથી આવ્યા હોય તારી વાત ખોટી છે. અહીંયાં વળી દિગંબરના પંડિતો (બોલે કે ) અમારી વાત ખોટી? સ્થાનકવાસીની ખોટી, શ્વેતાંબરની ખોટી પણ દિગંબરની ય ખોટી! પણ દિગંબરનું શું કહેવું છે એ બાપુ, જાણ્યું! (દિગંબરમાં) જભ્યા માટે દિગંબર થઈ ગ્યા? આહા! (શ્રોતા:) “મોક્ષમાર્ગપ્રકાશક” નો સાતમો અધિકાર દિગંબર માટે જ છે. (ઉત્તર) દિગંબર માટે જ. વસ્તુ જ ઈ છે. દિગંબર ધર્મમાં હોવા છતાં શલ્ય રહી જાય છે એ ટાળવા ઈ વાત કરી છે. સાતમામાં મિથ્યાત્વનો પણ એક અંશ છે દિગંબરમાં જન્મ્યા, સાધુ થાય વ્રતધારી. પણ શલ્ય રહી જાય છે મિથ્યાત્વનું. આહા.... ઇન્દ્રલાલ જયપુરનો છે...! ઈ કહે કે દિગંબરમાં જમ્યા ઈ સમકિતી તો છે બધાય. ત્યારે અમારે મૂળચંદજી એમ કહેતા કે સ્થાનકવાસીમાં જન્મ ઈ સમકિતી તો બધાય છે ઈ એમ કહેતા વળી. બાપુ! એમ અહીં વસ્તુમાં ક્યાં સ્થાનકવાસી ને શ્વેતાંબર ક્યાં! એ તો વસ્તુનું સ્વરૂપ છે. દિગંબર છે એ તો જેવી વસ્તુની સ્થિતિ છે એવું વર્ણન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com