________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૫૭ ને ભેદ હોવાને કારણે થાય છે....? સત્ અને સત્તાના ભેદને આમાં આમ છે. “ ભેદનો આશ્રયે થાય છે ( અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાના કા૨ણે થાય છે) એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે), ક્યો ભેદ? પ્રાદેશિક કે અતાભાવિક? સત્ દ્રવ્ય છે અને સત્તા (છે) બેના પ્રદેશભેદ છે કે બેયને અતભાવ છે. સત્તા તે સત્ નહીં અને સત્ તે સત્તા નહીં. એવો અતભાવ છે, પણ તું એના પ્રદેશભેદ કહેતો હો તો એ રીતે નથી. આહા... હા... હા...! આકરું! વીતરાગે કહેલા તત્ત્વો, બીજે ક્યાંય નથી. વીતરાગ સર્વશે કહેલું ‘સત્' તે સત્તાથી યુતસિદ્ધ છે (એટલે કે જોડાઈને સિદ્ધ થયેલું, સમવાયથી સંયોગથી સિદ્ધ થયેલું ) એમ નથી. સત્ (અને) સત્તા બેય એક જ છે પણ, ‘છે સત્’ અને ‘સત્તા ’ અયુતસિદ્ધ કહે છે તો પછી કે' એમાં ભેદ કઈ રીતે ( છે )...? પ્રદેશભેદથી અયુતસિદ્ધ છે... ? કે અતભાવથી અયુતસિદ્ધ છે..? છે... ? (પાઠમાં ) “ પ્રાદેશિક તો નથી, કા૨ણ કે યુતસિદ્ધપણું પૂર્વે જ રદ કર્યું છે.” દ્રવ્ય અને સત્તાના પ્રદેશ જુદા (છે) એમ નથી. આ... .... આવી વાતું હવે, વાણિયાને નવરાશ ન મળે..! આહા... હા... હા. ‘સત્’ ( કોણ ?) છ દ્રવ્ય. તો ઈ દ્રવ્ય ને સત્તા ( ગુણને ) ભેદથી તમે કહેતા હો તો કઈ રીતે (છે)? પ્રદેશભેદથી (ભેદ છે) કે અતભાવભેદથી ? પ્રદેશભેદ તો અમે રદ (એટલે ) નથી એમ કહેતા આવ્યા છીએ. કે ‘સત્ ’ (અર્થાત્ ) દ્રવ્યને ‘ સત્તા ’ ના પ્રદેશ જુદા નથી. (શ્રોતાઃ) આવું બધું સમજવા ઘડ બેસતી નથી. ...! (ઉત્ત૨:) આહા... હા... હા! વસ્તુસ્થિતિ છે. ઈ જે રીતે વસ્તુ છે ઈ રીતે નહિ જાણે માને વસ્તુમાં– વિષયમાં વિપરીતતા થઈ જાય. આ તો સર્વજ્ઞ પરમેશ્વરે (કઠેલી વસ્તુસ્થિતિ છે.) ‘શેય અધિકા૨’ તે સમ્યગ્દર્શનનો વિષય છે. જ્ઞાન પ્રધાનપણે (કહ્યું છે) આહા... હા...! જે વસ્તુ જે રીતે છે તે રીતે તેને જ્ઞાનમાં આવવી જોઈએ. આહા...! ઈ તો કહ્યું ને...! કે વાણિયાને નવરાશ ન મળે, આવું ભાઈ ! નવરાશ નહીં ને...! (તત્ત્વનો ) નિર્ણય કરવાનો વખત ક્યાં છે. ...? ૨ળવું છે. એકાદ કલાક જાય સાંભળવા, થઈ ગ્યું...!! ભાઈ! અહીંયાં તો વસ્તુ (સ્થિતિ) ભગવાન લોજિક ન્યાયથી સિદ્ધ કરે છે. આહા... હા..! સમજાણું...?
.
આ
-
( કહે છે કેઃ ) ‘ સત્ ’ દ્રવ્ય છે, તે ‘સત્તા’ છે. અને દ્રવ્ય સત્તાને, એ ભેદ એ રીતે તું કહેતો હો તો (અમે પૂછીએ કે) તે ભેદ પ્રદેશભેદથી કહે છે કે અતભાવથી ભેદ (કહે) છે? પ્રદેશભેદથી તો અમે નિષેધ કરતા આવ્યા છીએ. ( શ્રોતાઃ) જ્ઞેયતત્ત્વ અજ્ઞાત છે (ઉત્ત૨:) એથી તો હળવે – હળવે કહીએ છીએ. છોકરાને કહ્યું 'તું ત્યાં અંદર મેં ‘બધા લીએ એ તો ખરું' કે આજ ભઈ ઝીણું આવશે. આવું કોઈ દી' બાપદાદે ય સાંભળ્યું ન હોય...! રામજીભાઈએ તો સાંભળ્યું ય ન્હોતું. હિંમતભાઈએ ય સાંભળ્યું ન્હોતું. શ્રીમદ્દના ભગત. (શ્રોતાઃ) હતું જ ક્યાં... ? ( આવું તત્ત્વ ક્યાં હતું...?) (ઉત્ત૨:) કહે છે ભગવાન સર્વજ્ઞ તીર્થંકરે જે પદાર્થ જોયા એ પદાર્થની સ્થિતિ શી છે...? એમાં આવ્યું કે ‘સત્’ છે દ્રવ્ય. તે દ્રવ્ય સત્ છે હયાતીવાળું છે. એ સત્તાને લઈને હયાતીવાળું છે કે સત્તાસહિત હયાતીવાળુ છે...? આહા...! સત્ ને સત્તાના પ્રદેશભેદ છે કે અયુતસિદ્ધ છે...? એટલે કે એનાથી જોડાણ નથી. સત, સત્તાસ્વરૂપે જ છે. સત્તા, સત્સ્વરૂપે જ છે. આહા... હા...! પણ પ્રદેશભેદ કહેતો હો તો (એ છે) નહીં. પણ અતાદ્દભાવિક કહેવામાં આવે –બોલ છે ને પાંચમો દ્રવ્ય છે તે ગુણ નથી. ને ગુણ છે તે દ્રવ્ય નથી. (તો અતાભાવિક ભેદ છે.)
( અહીંયાં કહે છે કેઃ ) “ અતાદ્ભાવિક કહેવામાં આવે તો તે ઉત્પન્ન જ (-ઉચિત જ ) છે, Please inform us of any errors on rajesh@Atma Dharma.com