________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૬૭ પ્રવચન : તા. ૧-૬-૭૯. પ્રવચનસાર” ગાથા-૯૪ બીજો પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ ચાલ્યો છે.
“(અને) જેઓ અસંકીર્ણ દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે” આત્મા છે. એનું દ્રવ્ય જે ત્રિકાળ છે, ગુણ ત્રિકાળ છે અને વર્તમાન પર્યાય છે. પણ એને પર સાથે કાંઈ ભેળસેળપણું નથી. ભલે કર્મ હો, શરીર હો, એ સ્વદ્રવ્યને પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સિવાય, બીજા કોઈ પદાર્થની સાથે ભેળસેળ નથી. ભિન્ન છે. આહા. હા! “અસંકીર્ણ' (એટલે) ભેળસેળ વિનાનો. “દ્રવ્ય-ગુણ-પર્યાય વડે સુસ્થિત એવા ભગવાન આત્માના સ્વભાવનો.” એમાંથી પણ આત્માનો સ્વભાવ અહીંયાં તો સ્પષ્ટ – ભિન્ન, દ્રવ્યગુણ-પર્યાયથી સુસ્થિત લખ્યો છે. અસંકીર્ણનો અર્થ નીચે ( ફૂટનોટમાં લખ્યો છે) પણ ખરેખર તો દ્રવ્ય જે વિસ્તારસામાન્યસમુદાયનો પિંડ અને આયત સામાન્ય (સમુદાય) નો પિંડ દ્રવ્ય - એમાં ગુણ અને પર્યાય તે પોતે પરથી ભેળસેળ વિનાનું છે, છતાં આશ્રય લેવા લાયક તો ત્રિકાળી દ્રવ્ય છે. આહા.. હા ! જ્ઞાયકભાવ, ધ્રુવભાવ; સ્વભાવભાવ એકરૂપ ભાવ તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન – જ્ઞાન-ચારિત્ર થાય છે. આહા... હા! જે આત્મસ્વભાવનો (આશ્રય તે) કે જે સકળ વિદ્યાઓનું એક મૂળ છે” આહા... હા! જે ભગવાન આત્મા પૂર્ણસ્વરૂપ, દ્રવ્યસ્વભાવ, એનો આશ્રય “કે જે સકળ વિધાઓનું મૂળ છે” સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સાચી વિદ્યા, એનું એ મૂળ છે, ભગવાન દ્રવ્યસ્વભાવ, ત્રિકાળી અનંતગુણનું ચેતન, અમૃતનો સાગર, અમર ઈ–તેનો આશ્રય કરવો એ બધી વિદ્યાઓનું મૂળિયું છે, બધા ભણતરનું મૂળિયું છે. ગમે તે રીતે ભણ્યો હોય. આહા. હા! “(કે જે) સકળ વિધાઓનું એક મૂળ છે.” એના ભેદો નહીં (પણ) એકરૂપ જે ત્રિકાળ સ્વભાવ, કાયમ રહેનાર દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ એક જ તે આશ્રય કરવા લાયક છે, આહા.... હા ! આ mય અધિકાર છે અને એ “સમકિતનો અધિકાર છે.
આહી... હા ! આત્માનો સ્વભાવ, એ સમયની પર્યાય ને ગુણ ને દ્રવ્યને ભલે ત્રણ (ભેદ) કરીને પરથી ભેળસેળ વિનાનો (કહ્યો) છે છતાં એને આશ્રય કરવા લાયક પર્યાય અને ગુણભેદ નથી. ધીરાના કામ છે આ તો ભાઈ ! અરે, અનંતકાળથી જનમ - મરણ કરે છે! (તો) કહે છે કે એવા જનમ - મરણના નાશનું – વિદ્યાનું મૂળ – સમ્યજ્ઞાનની વિદ્યા અને એ જ વિદ્યા (છે) એ વિદ્યાનું મૂળ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરવો તે સકળ વિદ્યાનું મૂળ છે. આહા.. હા ! (શ્રોતા.) દ્રવ્ય – પર્યાય ભેગા છે, જુદા કેમ કરવા? (ઉત્તર) ભેગા ક્યાં છે? ભેગા નથી ! ગુણ, દ્રવ્યમાં દ્રવ્યને આશ્રયે તન્મય છે, ભિન્ન નથી. પર્યાય ભિન્ન છે. પણ પર્યાયે, ત્રિકાળ દ્રવ્યનો આશ્રય લેવો એ સકળ વિધાનું મૂળ છે. આહા.... હા! બાર અંગ અને શાસ્ત્રની જે સમ્યવિધા, એના હેતુ આ પ્રભુ (આત્મ સ્વભાવ છે) પોતે ! દ્રવ્ય-ગુણ-પર્યાયની પરમાં ભેળસેળ વિનાની સ્થિતિ છે. છતાં, એનો આશ્રય કરવા માટે તો ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે. આહા.... હા... હા! (તેનો આશ્રય કરે ) ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. ધર્મની એને શરૂઆત થાય. કેમકે દ્રવ્યસ્વભાવ જે મહાપ્રભુ! ચૈતન્ય મહાપ્રભુ! અનંત-અનંત ગુણની શક્તિથી (સભર) મહાપ્રભુ પોતે (છે). એનો આશ્રય લેતાં, આશ્રય લેનાર પર્યાય છે એટલે પર્યાયની હયાતી આવી ગઈ (એમાં). ગુણ ને દ્રવ્ય અભેદ છે. આહા... હા! આવી વાતું (આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com