________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૭૪ ( જ્ઞાતા-દ્રષ્ટા) માં ઊભો (ધ્રુવ) રહે છે. “એકરૂપ (જ) આત્માને ઉપલબ્ધ કરતા થકા.” અનેક
ઓરડાઓમાં રત્ન જાય છતાં પણ રત્ન તો એકરૂપ જ રહે છે, એમ અનેક શરીરમાં આત્મા જવા છતાં પરમાં રહેવા છતાં – એનો ગુણ એવો છે કે તે એકરૂપ જ રહે છે. (સમયસાર” - પરિશિષ્ટમાં) ૪૭ શક્તિમાં એક એવી શક્તિ છે છે કે “સ્વધર્મવ્યાપકત્વ' છે. “સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વ શક્તિ.” ૨૪. અનંતાશરીરમાં રહેવા છતાં તે “સ્વધર્મવ્યાપક શક્તિ” પરને અડી નથી. પરમાં રહ્યા છતાં (તે પરને અડી નથી) એનો એવો ગુણ છે. આહા.... હા! અનેક શરીરોમાં રહ્યા છતાં – રત્નનો દીવડો જેમ એવો ને એવો (પ્રકાશિત) રહે છે – એમ ભગવાન આત્મા, જેની દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી ગઈ છે, એનો આત્મા એવો ને એવો રહે છે! આહા.... હા..! આ તો બાવા થાય તો થાય, ઓલો ભાઈ ! અમારે છે ને એ એમ કહે છે. બાવો જ છો તું સાંભળને.! કોઈ દી' રાગમાં આવ્યો નથી, રાગરૂપ થયો જ નથી! પછી તારે બાવો એને નવો ક્યાં થયું છે. કોઈ સ્થળમાં રહ્યો, કોઈ ક્ષેત્રમાં રહ્યો, કોઈ કાળમાં રહ્યો (છતાં) પરરૂપે (આત્મા) થયો જ નથી. જ્યાં રાગરૂપે થયો નથી (અરે! એક સમયની પર્યાયરૂપે થયો નથી) આહા... હા ! એ તો ચેતનચમત્કાર ! રતન દીવડો– (જેમ) રતનનો દીવડો અંધારા રૂપે થયો જ નથી. એમ ભગવાન ચેતનરતન જેણે સ્વનો આશ્રય લઈને બધી એકાંતદષ્ટિનો નાશ કર્યો અને અનેકાંત ચેતનરતન દીવડો એવો ને એવો રહે છે! આહા. હા! આ સમ્યગ્દર્શન ને (સમ્યક) જ્ઞાનની વાત છે આ. સમજાણું કાંઈ ? આહા.. હા !
એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા - (અનુભવતા થકા), અવિચલિત ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને.” ઓલો ભ્રષ્ટ હતો પહેલાનો (અજ્ઞાની). અવિચલિત ચેતનાલિવાસ – જ્ઞાનચેતના, જ્ઞાનચેતના જાગી એનો વિલાસ થયો, ચળે નહીં એવી ચેતના વિલાસ (પ્રગટી). અરે ! આવી વાતું કેવી (અપૂર્વ) ! ચળે નહીં એવો અવિચલિત ચેતનાલિવાસ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ચેતનાનો વિલાસ (છે). રાગાદિનો અનુભવ તે અચેતનાનો વિલાસ (છે). જડનો વિલાસ છે. આહા. હા! ભગવાન આત્મા, પૂર્ણાનંદના નાથને જ્યાં અવલંખ્યો-આશ્રય કર્યો-એ અવિચલિત ચેતનાવિલાસ માત્ર આત્મવ્યવહાર (છે). આ (આત્માનો) વ્યવહાર ઓલો વ્યવહાર દયા, દાનના વ્યવહારની તો અહીંયાં વાતે ય નથી. આહા.. હા! (આ) આતમવ્યવહાર, આતમવ્યવહાર ઈ.! ઈ તો વળી ચિઠ્ઠીમાં છે ને..! “પરમાર્થવચનિકા' માં છે. [ (પાના નંબર ઉપર ).. સમ્યગ્દષ્ટિ થતાં જ માત્ર ચતુર્થ ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાન સુધી મિશ્રનિશ્રયાત્મ જીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે; અને કેવલજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક શુદ્ધ વ્યવહારી છે. ] નિશ્ચય તો દ્રવ્ય છે, મોક્ષમાર્ગ એ વ્યવહાર છે. પર્યાય છે ને..! આહા... હા! એ તો (શુભ) રાગને મોક્ષમાર્ગ વ્યવહારે કહ્યો એ અપેક્ષાએ ચેતનાવિલાસ સમ્યગ્દર્શન-જ્ઞાનને (નિશ્ચય) કહેવાય પણ દ્રવ્યની અપેક્ષાએ (એ સમ્યગ્દર્શન- જ્ઞાન - મોક્ષમાર્ગને વ્યવહાર કહેવામાં આવે છે). ભગવાન પૂર્ણાનંદનો નાથ ! એમાં પરિણમન થયું, પરિણમન થયું એ પર્યાય જ વ્યવહાર છે. આહા.... હા ! આવી વાત હવે (સંતોની)! ત્રણ લોકનો નાથ પરમાત્માનો આ પોકાર છે ભાઈ ! તારે માટે પોડ પ્રભુનો! આહા.... હા! ભાઈ, અંદર ચેતન પડયો છે ને પ્રભુ ભગવાન (ધ્રુવ છે ને..!) એનો વિલાસ એની પર્યાયમાં (નવો પ્રગટે છે) દ્રવ્યમાં તો (શક્તિરૂપે) હતો જ શુદ્ધ. પણ હવે (એનું લક્ષ થતાં) પર્યાયમાં ચેતનાવિલાસ આવ્યું. સ્વભાવનો આશ્રય લેતાં જે (સમ્યક ) દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટયું એ ચેતનાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com