________________
ગાથા - ૯૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો
હવે આ (નીચે પ્રમાણે ) સાદશ્ય અસ્તિત્વનું કથન છે;
इह विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं । उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ।। ९७ ।।
इह विविधलक्षणानां लक्षणमेकं सदिति सर्वगतम् । उपदिशता खलु धर्म जिनवरवृषभेण प्रज्ञप्तम् ।। ९७ ।।
વિધવિધ લક્ષણીનું સ૨વ-ગત ‘ સત્ત્વ ’ લક્ષણ એક છે, -એ ધર્મને ઉપદેશતા જિનવવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
અન્વયાર્થ:- [ધર્મ] ધર્મને [વસ્તુ] ખરેખર [ઉપવિશતા] ઉપદેશતા [ બિનવરવૃવમેળ] જિનવર વૃષભે [૪] આ વિશ્વમાં [વિવિધિજ્ઞક્ષળાનાં] વિવિધલક્ષણવાળાં (ભિન્ન-ભિન્ન સ્વરૂપ અસ્તિત્વવાળાં સર્વ) દ્રવ્યોનું. [સત્ કૃતિ] ‘સત્' એવું (સર્વાતં). સર્વગત [ લક્ષળ] લક્ષણ ( સાદશ્ય-અસ્તિત્વ ) [vi] એક [ પ્રજ્ઞપ્તમ્ ] કહ્યું છે.
-
ગાથા ૯૭.
લક્ષણ
ટીકાઃ- આ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણું – અનેકપણું દર્શાવતા ) અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્ત રહીને વર્તતા અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા એવા વિશેષલક્ષણભૂત સ્વરૂપ- અસ્તિત્વ વડે (સર્વ દ્રવ્યો ), લક્ષિત થતાં હોવા છતાં સર્વ દ્રવ્યોનું, વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું, ‘સત્' એવું જે સર્વગત સામાન્ય ભૂત સાદશ્ય અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું. એ રીતે ‘સત્’ એવું કથન અને ‘સત્’ એવું જ્ઞાન સર્વ પદાર્થોનો પરામર્શ કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન હોય) તો કોઈક પદાર્થ સત્ (યાતીવાળો) હોવો જોઈએ, કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો જોઈએ, કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ; પરંતુ તે તો વિરુદ્ધ જ છે. અને આ (‘ સત્' એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત) તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ.
૧. જિનવરવૃષભ-જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર. ૨. સર્વગત=સર્વમાં વ્યાપનારું.
૩. વ્યાવૃત્ત=જુદું; છૂટું; ભિન્ન.
૪. પરામર્શ=સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ.
૧૪૦
Please inform us of any errors on rajesh@Atma Dharma.com