________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૯ ઈ? ગુણ – પર્યાયોનું અને દ્રવ્યનું અસ્તિત્વ જુદું નથી. કારણ કે ગુણ- પર્યાયો દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે. એક વાત. અને દ્રવ્ય ગુણ-પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. બીજી વાત સંયુક્ત કર્યુ! સંયુક્ત જ છે. “વળી એવી જ રીતે ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યનું અને દ્રવ્યનું અસ્તિત્વ પણ એકજ છે.” આહા...! ઉત્પાદ- વ્યય- ધ્રૌવ્યોનું ને દ્રવ્યનું હોવાપણું એક જ છે. “કારણ કે ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યો દ્રવ્યથી જ નીપજે છે.” અને “દ્રવ્ય ઉત્પાદ વ્યય - ધ્રૌવ્યોથી નીપજે છે. આહા.... હા.... હા.! તત્ત્વજ્ઞાન ઝીણું! વીતરાગનું તત્ત્વજ્ઞાન બાપુ ઝીણું બહુ! સર્વજ્ઞ પરમેશ્વરે જેવું જોયું છે (ને) જેવું સ્વરૂપ છે તેવું કહ્યું છે. એણે કર્યું નથી કાંઈ કોઈ બીજા દ્રવ્યનું (જેને) કહ્યું છે એનું ય કર્યું નથી. આહા.... હા.... હા.! એમ ભાષા પણ એણે કરી નથી. આહા... હા ! છતાં એમ કહેવાય કે એમણે જેવું જાણ્યું એવું કહ્યું કહેનારની ભાષાની પર્યાય, તો જડને (પરમાણુ દ્રવ્યને) સિદ્ધ કરે છે. એ કાંઈ ભગવાનને સિદ્ધ નથી કરતી કે આ ભગવાનની ભાષા છે..! ભાષાના ગુણ પર્યાય, ભાષાના પરમાણુને સિદ્ધ કરે છે. ભાષાના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય, ભાષાના પરમાણુ ને સિદ્ધ કરે છે. આહા.... હા.... આવું છે! “આ પ્રમાણે સ્વરૂપ - અસ્તિત્વનું નિરૂપણ થયું.” સ્વરૂપ અસ્તિત્વ એટલે પોતાના સ્વરૂપે એક - એક વસ્તુ છે એમ નકકી કર્યું.
વિશેષ આવશે.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com