________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૯૫ અસ્તિત્વ ઉત્પાદ તે પ્રાદુર્ભાવ.” અસ્તિત્વના બે પ્રકાર (તેમાં) સ્વરૂપ અસ્તિત્વ (એટલે) પોતાનું સ્વરૂપ છે તે પોતાનું સ્વરૂપ અસ્તિત્વ. અને પોતે અને બીજા બધા છે એ સાદશ્ય અસ્તિત્વ (છે). બદલવું આમ આમ “ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન થવું); વ્યય તે પ્રશ્રુતિ પૂર્વની અવસ્થાનો વ્યય થવો, ભ્રષ્ટ થવું. નષ્ટ થવું “ધ્રૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું) આ તો અર્થ કરે છે હો! “ગુણો તે વિસ્તારવિશેષો, આત્મામાં ગુણ જે છે (એ) વિસ્તારવિશેષ (સ્વરૂપ) છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ સ્વચ્છતા, પ્રભુતા, એવા-એવા અતીન્દ્રિય અનંત ગુણોનો વિસ્તાર આમ છે (આડોતીરછો- એક સાથે) જેમ સોનામાં પીળાશ, ચીકાશ ને વજન એક સાથે આમ છે તીરછા, એમ આ પ્રભુ આત્મામાં, જ્ઞાનદર્શન-આનંદાદિ અનંતગુણ વિસ્તાર સામાન્ય આમ તીરછ, વસ્તુમાં એક સાથે આમ એક સાથ-તીરછા સ્વભાવ રહેલા છે. એને ગુણ કહીએ. છે? “ગુણો તે વિસ્તાર વિશેષો.” તેઓ “સામાન્ય - વિશેષાત્મક હોવાથી” (એ ગુણોના) બે પ્રકાર. અસ્તિત્વના પણ બે પ્રકાર (એક) સ્વરૂપ અસ્તિત્વ અને (એક) સાદેશ્ય-અસ્તિત્વ એમ ગુણના (પણ) બે પ્રકાર (સામાન્ય અને વિશેષ) આહા... હા! (આમાં હવે) કેટલુંય યાદ રાખે કોઈ દી સાંભળ્યું ય ન હોય! ઓલા કયે કે ગુરુની ભક્તિ કરો! એથી કલ્યાણ થશે. અહીં કહું કે લાખ ભક્તિ કરને! એ તો પરદ્રવ્ય છે. ભક્તિમાં તો રાગ છે, એ તો વિકલ્પ છે. પુણ્યબંધનું કારણ છે એ કાંઈ ધરમ – ફરમ નથી !! આહા.... હા હા ! સમજાય છે કાંઈ ?
આહા... હા! અનંત – અનંત ગુણસ્વરૂપ પ્રભુ (આત્મા) એને ઓળખાવો હોય તો કહે છે એના ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યથી એ ઓળખાય. બીજા વડે ઓળખાય એવું (આત્મ દ્રવ્યો નથી. અને એના ગુણ ઓળખવા હોય તો? તે ગુણો વિસ્તારવિશેષો છે. આત્માના જ્ઞાન-દર્શન-આનંદ એવા અનંતગુણો વિસ્તાર આમ-આમ (તીરછા-એકસાથ) પડ્યા છે. (ધ્રુવ છે). પરમાણુમાં, એક રજકણમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અનંતા એક પરમાણુમાં આમ (તીરછા-આડા-એક સાથ) પડ્યા છે (ધ્રુવપણે ગુણો છે) “તેઓ સામાન્ય - વિશેષાત્મક હોવાથી બે પ્રકારના છે.” હવે એમાં સામાન્યની વાત કરે છે. દરેક આત્મામાં પણ હોય દરેક પરમાણુમાં પણ હોય એમ છે એ દ્રવ્યોમાં હોય છે.) આહા હા ! ૯૫ ગાથા (વસ્તુ સ્વરૂપની અલૌકિક ગાથા છે.) “તેમાં, અસ્તિત્વ “છે ” અસ્તિત્વ ગુણ છે એ સામાન્ય ગુણ છે.
એટલે એક-એક આત્મામાં પણ છે અને પરમાણુમાં (એક-એક પરમાણુમાં) અસ્તિત્વ ગુણ છે. (આ વિશ્વમાં) છ દ્રવ્ય છે. ભગવાને તો છ દ્રવ્ય જોયાં છે – અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, (એક) અધર્માસ્તિકાય, (એક) આકાશ. એમ છ દ્રવ્ય ભગવાને - કેવળી (સર્વજ્ઞ) પરમાત્માએ જોયાં છે. એમાં દરેક દ્રવ્યમાં ગુણ પણ સામાન્ય, અસ્તિત્વ (ગુણ છે ). આત્મામાં પણ ગુણ અસ્તિત્વ છે, પરમાણુમાં પણ છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, (આકાશ, કાળ) બધામાં – છ એ દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે. તેથી તેને સામાન્ય (ગુણ ) કહેવામાં આવે છે. “નાસ્તિત્વ” પરથી નાસ્તિ. આત્મા પરથી નથી, પરમાણુ પરથી નથી. એવું નાસ્તિત્વ (એ) સામાન્ય ગુણ છે. એ નાસ્તિત્વ (ગુણ) છ એ દ્રવ્યમાં છે. માટે તેને સામાન્ય કહેવામાં આવે છે. આહા. હા! “એકત્વ”, છે? એકત્વપણું – એકપણું. દ્રવ્ય જેમાં ગુણાદિક છે પણ છે એકપણું (સમયસાર') ૪૭ શક્તિમાં એ આવે છે. એક, અનેક (શક્તિ), એકપણું આ. એ ( ગુણ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com