________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૧૫ અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે. –એવા ગુણો અને પર્યાયો વડ જે દ્રવ્યનું અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જુદાં નહિ જોવામાં આવતા પીળાશાદિક અને કુંડલાદિકનું અસ્તિત્વ તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, કારણ કે પીળાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને સુવર્ણ જ ધારણ કરતું હોવાથી સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિસિદ્ધિ થાય છે, સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોય તેવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળે કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે, કારણ કે ગુણો અને પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ગુણો અને પર્યાયો પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
અથવા, જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે પીળાશ આદિ ગુણોથી અને કુંડળાદિ પર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા-કરણ-અધિકરણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા પીળાશ આદિ ગુણો અને કુંડળાદિકપર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે, - એવા સુવર્ણનું મૂલસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે ગુણોથી અને પર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી, ‘કર્તા-કરણ – અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ગુણો અને પર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે, – એવા દ્રવ્યનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (પીળાશાદકથી અને કુંડળાદિકથી ભિન્ન નહિ જોવામાં આવતા સુવર્ણનું અસ્તિત્વ તે પીળાશાદિક અને કુંડલાદિકનું અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદિક અને કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી પીળાશાદિકના અને કુંડળાદિકના અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ થાય છે, પીળાશાદિક અને કુંડળાદિક ન હોય તો સુવર્ણ પણ ન હોય તેવી રીતે ગુણો અને પર્યાયોથી ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણો અને પર્યાયોનું જ અસ્તિત્વ છે, કારણ કે દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો જ ધારણ કરતા હોવાથી ગુણો અને પર્યાયોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ગુણો અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. )
(જેવી રીતે દ્રવ્યનું અને ગુણ – પર્યાયનું એક જ અસ્તિત્વ છે એમ સુવર્ણના દષ્ટાંત પૂર્વક સમજાવ્યું, તેવી રીતે હવે દ્રવ્યનું અને ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યનું પણ એક જ અસ્તિત્વ એમ સુવર્ણના દષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે છે).
જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક જોવામાં આવતા નથી, કર્તા-કરણઅધિકરણરૂપે કુંડળાદિ-ઉત્પાદોના, બાજુબંધ આદિ વ્યયોના અને પીળાશ આદિ દ્રવ્યોના સ્વરૂપને ધારણ
-------------------------------------------------------------
૧. જે જે – સુવર્ણ ૨. તેમનાથી = પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયોથી. ( સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં નીપજવામાં મૂળ સાધન પીળાશ આદિ
ગુણો અને કુંડળાદિ પર્યાયો જ છે.) ૩. ગુણપર્યાયો જ દ્રવ્યના ર્તા (કરનાર), કરણ ( સાધન ) અને અધિકરણ (આધાર) છે; તેથી ગુણપર્યાયો જ દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com