________________
*
. !
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૦ જોવામાં આવતાં ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે; કારણ કે ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી” એ સોનું જ તેને ધારણ કરે છે, ત્રણેયને આહા.... હા! “દ્રવ્યના અસ્તિત્વથી જ ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે). ભાષા તો જરી સાદી, પણ હવે તેને (સમજવું પડશે ને..!) આહા.. હા!
(કહે છે ) અથવા, જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે કુંડળાદિ-ઉત્પાદોથી, બાજુબંધ આદિ વ્યયોથી અને પીળાશ આદિ ધ્રૌવ્યોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા-કરણ-અધિકરણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા કુંડળાદિ - ઉત્પાદો, બાજુબંધ આદિ વ્યયો અને પીળાશઆદિ ધ્રૌવ્યો વડે જેની નિષ્પત્તિ થાય છે - એવા સુવર્ણનું” જેની નિષ્પત્તિ છે (એટલે) દ્રવ્યની-સુવર્ણની “એવા સુવર્ણનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે; તેમ દ્રવ્ય ક્ષેત્રે, કાળે કે ભાવે ઉત્પાદ, -વ્યય-ધ્રૌવ્યોથી જે પૃથક જોવામાં આવતું નથી. આહા... હા. હા! કર્તા – કરણ – અધિકરણ ( રૂપે)' . આહા...! એ દ્રવ્ય જે છે. તેની ઉત્પાદપર્યાય (જે છે) તે એની કર્તા છે. વ્યય પર્યાય, તે એની કર્તા છે. દ્રવ્યનો ઓલું (પહેલાં કહ્યું હતું કે, દ્રવ્ય એનો કર્તા છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવનો દ્રવ્ય કર્તા (છે). (અહીંયાં કહે છે કે, આ ઉત્પાદ, વ્યય, ને ધ્રુવ એ દ્રવ્યનો કર્તા છે. આહા.... હા ! જો ઉત્પાદની પર્યાય બહાર ન હોય, તો તો દ્રવ્યનું કર્તાપણું રહેતું નથી. વાત સમજાય છે આમાં? (મર્મ છે.) દ્રવ્યની એક – એક પર્યાય, અનાદિ– અનંત છે. એમાં વર્તમાન પર્યાય પ્રગટ ન હોય, તો તો એનું કર્તા - કરણ (અધિકરણ) પણું દ્રવ્યમાં છે એ રહેતું નથી.. સમજાય છે કાંઈ ? એવી રીતે વાત સિદ્ધ કરી છે. કે જે ભૂતની ને ભવિષ્યની પર્યાયો તે દ્રવ્યમાં શક્તિરૂપે રહી, પણ વર્તમાન પર્યાય છે એ જો દ્રવ્યમાં ભળી જાય, તો પર્યાય, દ્રવ્યનું કર્તા છે એ પણ રહેતું નથી. આહા..! સમજાણું કાંઈ? જે અહીં પર્યાય થાય છે. પરમાણુ-સોનું (દ્રવ્યની) કુંડળ, એ પર્યાય જો પ્રગટ ન હોય, તો સોનાની કર્તા તો એ પર્યાય છે, તો પર્યાય કર્તા ન રહે તો દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. આહા.... હા ! છે?
(અહીંયાં કહે છે કે, “કર્તા-કરણ-અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને.” ઓલી (પહેલાં) સુવર્ણની વાત હતી. અહીંયાં દરેક પદાર્થની વાત છે. “કર્તા-કરણ-અધિકરણરૂપે, “દ્રવ્યના”
સ્વરૂપને ધારણ કરીને વસ્તુ છે તેનો ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. એ ત્રણેય દ્રવ્યના કર્તા છે. આહા... હા... હા ! દ્રવ્યની ‘સિદ્ધિ' એ ઉત્પાદ – વ્યય – ધ્રુવથી થાય છે. આહા... હા! ઘણો સિદ્ધાંત ! જો પ્રગટ પર્યાય ન હોય, અને વર્તમાન પર્યાય પણ અંદર ભળી જાય, તો દ્રવ્યની ઉત્પાદપર્યાય ( વિના) કર્તાકરણ –સાધન દ્રવ્યને (સિદ્ધ) કરવા રહેતું નથી. તો દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. સમજાય છે કાંઈ (મર્મની વાત છે) આખું દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. કેમકે ઉત્પાદ છે જે છે – પ્રગટ પર્યાય જે છે એ દ્રવ્યની કર્તા છે, પ્રગટપર્યાય છે એ દ્રવ્યનું કરણ-સાધન છે, પ્રગટપર્યાય છે એ દ્રવ્યનું અધિકરણ છે. (એટલે ) આધાર છે. ત્રણ કરણ લીધા છે (અહીં) આહા. હા.. હા! ભાષા જરી ઓલી છે, પણ સમજાય તેવી છે. (શ્રોતા:) મૂળ સાધન કહ્યું એ...! (ઉત્તર) મૂળસાધન છે ઈ. (અહીંયાં) મૂળસાધનપણે શબ્દ વાપર્યો છે. ઓલામાં (પહેલા) બીજી રીતે વાપર્યો છે. દ્રવ્ય એનું કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com