________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૬
પ્રવચનસાર પ્રવચનો
૧૧૮
અસ્તિત્વ છે, એમ નથી આહા..! આ શરીરનું હોવાપણું છે, શરીર પરમાણુનો પિંડ (છે). એનું અસ્તિત્વ છે, એ ૫૨માણુનો એનો સ્વભાવ છે કે આનું હોવાપણું આત્માને લઈને નથી. આહા... હા.! અંદર આત્મા જે છે તેનું હોવાપણું, તેનું અસ્તિત્વ, તેના દ્રવ્યનો સ્વભાવ છે. આ શરીરાદિ એ જડ છે. એનું હોવાપણું – અસ્તિત્વ, તે પરમાણુનો સ્વભાવ છે. આનું (શરીરનું) હોવાપણું આત્માને લઈને છે અને આના (શરીરના) હોવાપણાથી આત્માથી હયાતી છે, એમ નથી. આહા... હા ! ઝીણી વાત છે.
‘અનાદિ-અનંત હોવાથી તથા અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે ” એ આત્મા અને પરમાણુ (આદિ ) ભગવાને છ દ્રવ્ય જોયાં. એ દરેકનું હોવાપણું અનાદિ- અનંત (છે). આહા...! ‘છે' એને આદિ શી ને ‘છે' એનો અંત શું? દરેક પરમાણુ ને દરેક આત્મા, અનાદિઅનંત પોતાથી છે. “અહેતુક એકરૂપ વૃત્તિએ' છે? અકારણ છે. આત્મા ‘છે’ તેમાં અસ્તિત્વનું કોઈ કારણ નથી. કોઈ કર્તા છે નહિં. કોઈ ઈશ્વર-ઈશ્વર કર્તા છે નહિં. અને બીજું દ્રવ્ય પણ તેનું કારણ નથી. આહા... હા! આત્માનું હોવાપણું ને પરમાણુનું હોવાપણું, પોતાના અસ્તિત્વથી તે દ્રવ્ય છે. બીજાના અસ્તિત્વથી હયાતીથી બીજું દ્રવ્ય છે, એમ નથી. આહા... હા! છે? ‘અહેતુ એક રૂપ વૃત્તિએ ' વૃત્તિ વર્તન; વર્તવું તે; પરિણિત. અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી અસ્તિત્વ વિભાવધર્મથી જુદા લક્ષણવાળુ છે. શું કહે છે? જે આત્મા છે, શરીર છે, કર્મ છે એમ અનંત પરમાણુઓ છે, અનંત આત્માઓ છે. (એ બધા ) પોતપોતાના અસ્તિત્વ સ્વભાવથી પરિણમે છે. એનું પરિણમન કોઈ પરને કારણે થાય છે. ( એમ નથી ). “અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી ” . આત્મા પણ સત્તા-અસ્તિત્વ, એ અનાદિ અનંત એનું અસ્તિત્વ છે. અને તે અનાદિ-અનંત, એનું જે પરિણમન છે એ સ્વતઃ છે અસ્તિત્વગુણનું પરિણમન, પર્યાય (સ્વતઃ છે ). ‘ અસ્તિત્વ' ગુણ છે. આત્મા તેનો ધરનાર અસ્તિત્વવાન છે. અને એ અસ્તિત્વગુણની પર્યાય, પોતાથી સ્વતઃ થાય છે. અસ્તિત્વનું હોવાપણું પોતાથી પરિણમે છે. બીજાના કારણે પરિણમે છે, એમ છે નહીં, ઝીણી વાતું છે ભગવાન!
.
(કહે છે) આ તો ‘પ્રવચનસાર’ જ્ઞેય અધિકાર છે! જગતના ‘શેયો’ અનંત જે છે. એ અનંત ‘શૈયો ’ નું અસ્તિત્વ જે છે, એ અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. એનું હોવાપણું દ્રવ્યનો સ્વભાવ છે. એનું હોવાપણું પ૨ને કારણે છે, એમ નથી. આ... હા... હા !! “ એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે વિભાવધર્મથી વિલક્ષણ ” છે. શું કહે છે? ‘છે' ‘છે’ એવો અસ્તિત્વ સ્વભાવ, એમાં
વિભાવધર્મ નથી. આહા..! પણ ‘છે’ એમાં વિભાવધર્મ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ છે એમાં એનો વિભાવ હોય અસ્તિત્વ ‘છે' એવો દ્રવ્યનો સ્વભાવ, ( એની ) પરિણતિમાં વિભાવધર્મ હોતો નથી. અસ્તિત્વ નામ સત્તાગુણ જે છે, તેમાં વિભાવધર્મ હોતો નથી. સમજાય છે કાંઈ? અહા... હા! આ આત્મામાં અસ્તિત્વગુણ છે. એ દ્રવ્યનો સ્વભાવ છે. અને એ અસ્તિત્વનું પરિણમન થાય, પર્યાય થાય,
અસ્તિત્વ સ્વભાવ, સ્વભાવાન દ્રવ્ય, અને એનું પરિણમન પર્યાય પણ એનું પરિણમન વિભાવરૂપે કોઈ દી' હોય નહીં. અસ્તિત્વગુણનું વિભાવરૂપે પરિણમન ન હોય. ‘છે’ એનું વિભાવિક પરિણમન એટલે ? ‘ છે’ એનું ‘નથી’ નું પરિણમન? આહા... હા! ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ મારગ ! તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે!
અહીંયાં તો હજી આગળ ત્યાં સુધી ક્હશે કે જુઓ, “ભાવ અને ભાવવાનપણાને લીધે અનેકપણું Please inform us of any errors on rajesh@Atma Dharma.com