________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૬૯ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય એટલે ) શરી૨ (છે) એ પર્યાય બુદ્ધિ છે. તેથી ત્યાં એનું વલણ થઈ ગયું છે. એ પર્યાય (દષ્ટિની ) તેનાથી છૂટે એટલે ખરેખર ગુણ ઉપર ન જતાં – એ પર્યાયથી છૂટે કે દ્રવ્ય ઉ૫૨ (દષ્ટિ) જાય છે. આહા.. હા! ત્યારે એ સકળ વિદ્યાનું મૂળ એવો દ્રવ્યસ્વભાવ એને પકડવામાં - સમ્યગ્દર્શનમાં આવે છે. આહા... હા..!! છે ? “ આશ્રય કરીને યથોકત ” જેમાં ( ગાથા ૯૩માં ) કહ્યું હતું એવું દ્રવ્ય. જે વિસ્તારસામાન્ય ( સમુદાય ) ગુણ ( અને ) આયતસામાન્ય (સમુદાય ) પર્યાય એનો જે પિંડ જે યથોકત સ્વભાવ, એવા આત્મસ્વભાવની “સંભાવનામાં સમર્થ હોવાને લીધે ” ઓલો અવિદ્યાના ફળમાં પુરુષાર્થમાં સમર્થ હતો. આ આત્માના તરફ જ્યાં વલણ ને ઝૂકાવ થ્યો ત્યારે આત્મા તરફના અનુભવમાં તેનો પુરુષાર્થ વળે છે. સંભાવનામાં સમર્થ છે. આત્માનો અનુભવ કરવાને સમર્થ છે. સંભાવના (એટલે ) અનુભવ કરવો. સંચેતન (એટલે ) ભગવાન આત્મા પૂરણ નિત્યાનંદ પ્રભુ! તેના તરફનું સંચેતન-તેનો અનુભવ-તેની માન્યતા એટલે એકલી માન્યતા (મન સુધીની ) એમ નહીં હો! (પણ પરિણમન ) – તેનો આદર, ત્રિકાળી સ્વભાવની માન્યતા, આદર, (અનુભવ ) સંચેતન (એટલે) એનું ચેતવું-જાણવું, જે રાગને-પર્યાયબુદ્ધિમાં - અસમાનજાતીય (દ્રવ્યપર્યાયમાં) જાગતો હતો એ ચેતનના ત્રિકાળીસ્વભાવ તરફ ઝૂકાવમાં પડયો! સંચેત થ્યો, જાગૃત થયો ભગવાન ! આહા... હા! સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમાં, એણે દ્રવ્યનો આશ્રય લીધો તેથી તે જાગૃત થઈ ગ્યો !! આહા... હા ! આવું ઝીણું પડે લ્યો, માણસને! “સંભાવનામાં સમર્થ હોવાને લીધે. ” જેણે ભગવાન આત્માનો આશ્રય લીધો. એમાં (આત્મામાં ) અનંત, અનંત સામર્થ્ય, અનંત અનંત વીર્યનું પણ સામર્થ્ય ભર્યું પડયું છે..! આહા.. હા! અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એવા સ્વભાવનો ધરનાર ભગવાન, એનો આશ્રય લેતાં અનુભવ કરવાનો સમર્થ હોવાને લીધે એ ભગવાન આત્માનો અનુભવ કરવાને તાકાતવાળો થયો! અહા... હા! અનાદિથી રાગનું વેદન હતું. (પણ ) દ્રવ્યમાં દષ્ટિ પડતાં, એને આનંદના વેદનની ભાવના પ્રગટી. આવું છે!
“પર્યાયમાત્ર પ્રત્યેનું બળ (જો૨) દૂર કરીને.” પ૨ તરફના લક્ષવાળું જે જોર હતું. અસમાનજાતીય (શરી૨ ) તરફ પર્યાય (દષ્ટિ) માં પર્યાય પકડી શકતો નહોતો તેથી લક્ષ જતું' તું શરીર ઉપર-એ પર્યાય માત્ર (પ્રત્યેનું) બળ દૂર કરીને (એટલે ) એ તરફના વલણને (ઝૂકાવને) દૂર કરીને (“ આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે (-લીન થાય છે).” આવી વાત છે! ૫૨ તરફની પર્યાયબુદ્ધિ-અસમાનજાતીય દ્રવ્યપર્યાયની બુદ્ધિ હતી તેનું લક્ષ છૂટે છે અને સ્વભાવનો આશ્રય કરે છે. ત્યાં સ્વભાવમાં સ્થિતિ કરે છે. સ્વભાવ=પોતાનો કાયમી નિત્યાનંદ પ્રભુ! -દ્રવ્યનો જે નિત્ય સ્વભાવ, કાયમી સ્વભાવ, સનું આખું સત્ત્વ જે પૂરણ, તેનો આશ્રય કરે છે. તેમાં સ્થિતિ કરે છે. આહા... હા! હવે આવી વાતું છે!! તેમાં લીન થાય છે!, “તેઓ-જેમણે સહજ ખીલેલી અનેકાંતદષ્ટિ (વડે) આહા... હા! સહજ ખીલેલી ” આહા... હા! સહજ ખીલેલી, સ્વ...ભાવમાં પર્યાય નથી, રાગ નથી, ૫૨ નથી. એવી સ્વાભાવિક ખીલેલી! આહા...! અનેકાંત દષ્ટિ વડે ત્રિકાળ સ્વભાવ તે હું છું અને ભેદ ને પર્યાયને અસમાનજાતીય (શ૨ી૨) હું નથી, એનું નામ અનેકાંત છે. એ અનેકાંતદષ્ટિ વડે “સમસ્ત એકાંતદૃષ્ટિના પરિગ્રહના આગ્રહો (-પકડો ) પ્રક્ષીણ કર્યા છે એવા ” સ્વભાવ સન્મુખના અનુભવ વડે આહા... હા ! સમસ્ત એકાંતષ્ટિ જે હતી - જે ‘શરીર
22
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
=
יי
-