________________
૧૧૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
આવી પહોંચ્યા. એટલે અરૂણદેવ શ્રેમ પામ્યા, તેઓએ હાક મારીને કહ્યું કે –“અરે! હવે તું કયાં જવાનું છે?” પછી છરી અને બંને કડાં સહિત અરૂણદેવને બાંધીને રાજાને સે અને બધો વૃત્તાંત નિવેદન કર્યો. એટલે રાજાએ કહ્યું કે -એ. મહાપાપીને શૂળી પર ચડાવો. પછી તે પુરૂએ રાજાની આજ્ઞાથી તેને શૂળી પર ચડાવ્યો.
અહીં નગરમાંથી અન્ન લઈને અરૂણદેવને મિત્ર ત્યાં આવ્યું, અને અરૂણદેવ ત્યાં ન જેવાથી તેણે માળીઓને પૂછયું કે –“અહો! તમે આ બાગમાં કઈ પુરૂષને જોયો ?” તેમણે કહ્યું કે:-“અમે કાંઈ જાણતા નથી, પરંતુ અહીંથી કોઈ ચેરને રાજપુરૂષએ પકડી બાંધીને રાજાને સેં; અને રાજાએ તેને અત્યારે જ શૂળી પર ચડાવ્યું છે. આ પ્રમાણે સાંભળી વ્યાકુળ થઈને તે શૂળી પાસે ગયા. ત્યાં શૂળી પર ભયંકર અવસ્થાએ પહોંચેલ અરૂણદેવને જોઈને તે વિલાપ કરવા લાગ્યું કે –“હા ! મિત્ર ! હા શ્રેષ્ઠિપુત્ર! હા ! પ્રાણ કરતાં પણ અધિક વલ્લભ! આવું વિપરીત તને કેમ થયું?' એ પ્રમાણે ભીષણ પિકાર કરીને મૂચ્છિત થઈ તે જમીન પર પડી ગયો ક્ષણવાર પછી શીતળ વાયુથી સાવધાન થયો, એટલે રડવાનું તેને લોકોએ કારણ પૂછયું. આથી તે બોલ્યા કે –“એ કુમાર તાપ્રલિપ્ત નગરીના કુમારદેવ વ્યવહારીનેં પુત્ર હતા, અને આ નગરમાં વસનાર જસાદિત્ય શ્રેષ્ઠીની પુત્રીને પતિ હતે. નાવના ભંગથી તે આજેજ મારી સાથે અહીં આવ્યા હત” ઈત્યાદિ બાકીને વૃત્તાંત કહેતાં રાજપુરૂષે પોતાની ભૂલ જાહેરમાં આવશે એમ જાણે તેને પથરવડે મારવા લાગ્યા. એવામાં જરાદિત્ય