________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૭૯ થી આ જગતમાં સમસ્ત જનોના ઉપકારોને માટે આ સૂર્ય અને ચંદ્રમા ઉદય પામે છે. વળી ધર્મ એ બંધુરહિતને બંધુ છે, મિત્રરહિતને મિત્ર છે; અનાથને નાથ છે અને જગતને એક વત્સલરૂપ છે. માટે નિરંતર ધમકુંટુબની સેવા કરવી રોગ્ય છે. કહ્યું છે કે –
''धर्मस्य तया जननी, जनकः किल कुशलकर्मविनियोगः । શ્રદ્વા ૨ વરમે,
मुखानि निखिलान्यपत्यानि" ॥१॥ संघश्चतुर्विधी बिम्बं सुऋत्य चागमार्हतां । सप्ताप्येतानि धर्मस्य क्षेत्रकाणि बिदुर्बुधाः ॥२॥
દયા–એ ધર્મની માતા છે, કુશળ કમને વિનિયોગએ ધર્મને પિતા છે, શ્રદ્ધાએ તેની સ્ત્રી છે અને સમસ્ત સુખે-એ તેના સંતાન છે.” (૧) ચતુર્વિધ સંઘ, જિનબિંબ, જિનચૈત્ય અને આહત-આગમ-સુજ્ઞ જનેએ ધર્મના એ સાત ક્ષેત્ર કહ્યા છે. (૨) ગુરૂને વિનય કરે, સાધુજનની સંગતિ કરવી, વિવેકમાં મન રાખવું અને ઉત્તમ સત્ત્વને ત્યાગ ન કરો. વિનય, વિવેક, સુંસગ, અને સુસવ–એ ગુગે લૌકિક વ્યવહારમાં પણ પ્રશંસનીય ગણાય છે, લોકેત્તરમાં તે એ વાત પ્રગટજ છે.”
“હે કુબેર! તું રાજપુત્ર થઈને અશ્વપર આરહણ કરે છે અને આ સેવકે તારી સેવા કરે છે, તેમાં શું હેતુ હશે ?