________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૩૪
“जवा हि सप्तेः परमं विभूषणं, भत्तांगनायाः कृशता तपस्विनः । દિન વિશેવ મુકતથા ક્ષNT, शील हि सर्वस्य जनस्य भूषणम्" ॥
ઘેડાનું પરમ ભૂષણ વેગ છે, સ્ત્રીનું પરમ ભૂષણ પતિ છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, બ્રાહ્મણનું પરમ ભૂષણ વિદ્યા છે અને મુનિનું પરમ ભૂષણ ક્ષમા છે, પણ શીલ તે સર્વજનનું -ભૂષણ છે. તે શીલની નવ વાડ કહેલ છે, તે આ પ્રમાણે –
"वसहि कह निसिजिदिय, कुड्डितर पुव्वकीलीय पणीए । अइमायाहार विभूसणाइ. નવ વંમાગુત્તા છે .”
આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે –
૧ વસતિ–ઉપાશ્રય એટલે જે મકાનમાં સ્ત્રી રહેતી હેય અથવા જે મકાનની નજીકમાં સ્ત્રીને વાસ હોય–તે ઉપાશ્રયને મુનિએ ત્યાગ કર.
૨ કથા-સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરો.
૩ નિસિજજા–જે શયન કે આસન પર સ્ત્રી બેઠી હોય તે શયનાસનને બે ઘડી સુધી ત્યાગ કરે.