________________
૪૫૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
—
જવું, કે જેથી હું ઋણુરહિત થા? રાજાના કહેવાથી વનરાજ મધ્યરાત્રે દીવે! અને પૂજાની સામગ્રી લઈ ને ચાલ્યેા. એવામાં પેાતાના ઘરથી અટારી ( ગેલેરી)માં બેઠેલા નૃસિંહકુમારે તેને જોયા, અને એળખ્યું. એટલે નીચે ઉતરીને તેણે વનરાજને પૂછ્યું કે :—‘ આ શુ? અત્યારે એકલા કયાં જાએ છે ?’ તેણે સત્ય વાત કહી, એટલે કુમારે તેના હાથમાંથી દીવા તથા પૂજાની સામગ્રી લઈ લીધી. અને મેલ્યા કે :— તમે ઘરે જાએ, હું દેવીના મંદિરમાં પૂજા કરવા જઇશ.’' એમ કહીને વનરાજને પાછા વાળ્યા અને રાજપુત્ર એકાગ્ર મનથી ત્યાં જવા ચાલ્યેા. તે દરવાજા નજીક પહેોંચ્યા, એટલામાં રાજાએ મેકલેલા પેલા એ માત`ગાએ તરવારથી કુમારને મારી નાખ્યા; એટલે કલકલારવ (કાલાહલ) થઈ ગયા. તે જોઈ ને કેટલાક માણસેાએ તરત જ રાજાને નિવેદન કર્યું. રાજા ચિત્તમાં સંતુષ્ટ થઈને શુ છે ? ’એમ ખાલતા ત્યાં જોવાને આવ્યા. એવામાં તે ત્યાં પોતાના પુત્રને પડેલા દીઠા; એટલે રાજા વિલાપ કરવા લાગ્યા કે :— હા વત્સ! આ શું થયું ? તારે માટે આ બધું મે કર્યું...; પણ તે તેા બધુ મને જ નડયુ..? ઈત્યાદિ બહુ વિલાપ કરી કુમારને અગ્નિસ`સ્કાર દઈ રાજાએ વનરાજને કહ્યુ કે ઃ— હે વત્સ ! તારૂ ભાગ્ય વાસમાન કઠીન છે. મારા પુરાહિતનું કથન બધું સત્ય થયુ. તુ પૂરેપૂરા ભાગ્યવત છે,’ પછી તેના જન્મદિવસથી માંડીને બધા વૃત્તાંત રાજાએ વનરાજને કહી સભળાવ્યા; અને કહ્યુ :— મારેા અપરાધ ક્ષમા કર અને આ રાજ્ય તુ ગ્રહણ કર, તારા ભાગ્યે જ તને રાજ્ય આપ્યુ.
6
'
"