________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૨૧
અહીંજ રહ્યો, તેથી મારા પુત્ર કુક્ષેત્રથી ઉત્પન્ન થયેલે થશે. પણ ભાવિ અન્યથા ન થાય, પરંતુ મેં બહુ ખરાબ કર્યું, કેમકે પુત્રને પામ્યા છતાં પણ પુત્રજન્મને પ્રગટ ઉત્સવ નહિ. થઈ શકે, પરંતુ હવે શું કરવું ? રાજાને તે જેમ તેમ ઉત્તર આપ.” આમ વિચાર કરીને રાજમંદિરમાં આવતાં રાજાએ તેને તે જોઈને પૂછ્યું કે –“હે મંત્રીન્ હર્ષને સ્થાને ખિન્ન કેમ દેખાય છે? શું દેવીએ તને છેતર્યો? અથવા તે શું કંઈ બીજુ વિપરીત થયું? એટલે મંત્રીએ દેવીને આદેશ તથા પિતાને દોષ–પિતાની નિંદાપૂર્વક કહી બતાવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે ખેદ ન કર, આવા તારા ઉત્તમ. કુળમાં દેવતાદિષ્ટ છતાં પણ જે તે અન્યાય કરનારો પુત્ર થાય, તે તેમાં તારે શું દોષ? પરંતુ તારી તે વેશ્યા સ્ત્રીને તારા ઘરના ભેયરામાં સારી રીતે ગુપ્ત રાખ, અને પુત્રજન્મ થયા પછી તેને ઘરમાંથી કહાડી મૂકજે.” રાજાના કહેવાથી પ્રધાને પણ તેમ કર્યું. પૂર્ણ સમયે પુત્ર જન્મે, એટલે તેણે તરત જ રાજાને નિવેદન કર્યું. પછી ગુપ્ત રીતે તેને સંસ્કાર કર્યો, તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. તેને ભણાવવા ગ્ય થયેલ જાણીને શાસ્ત્રવિચક્ષણ એવા તેના પિતાએ તેને ભણાવવાની શરૂઆત કરી. એટલે તે ભોંયરાની ઉપરના ફાળકાપર આસન માંડી બહારથી બીજા વિદ્યાર્થીઓને ભણવવાને બહાને તેને નીતિશાસ્ત્ર ભણાવવા માંડયું. રાજાની આજ્ઞાથી પિતાને અંગુઠે. દોરો બાંધીને તેણે તે પુત્રને આપ્યો અને કહ્યું કે –તને કંઈ શંકા પડે તે આ દોરે હલાવો.” એવા સંકેતપૂર્વક તેણે પિતાના પુત્રને ભણાવ્યો અનુક્રમે તે હોંશિયાર થયે.