________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૪૫
એમ વિચારી તેમણે બાણ મારીને જમીન પર પાડી દીધા. તે વખતે બાણના ગાઢ પ્રહારથી પીડિત થયા છતાં લેશ પણ આ કે રૌદ્ર સ્થાનને વશ તે મુનિ ન થયા. તે મનમાં ચિંતવવા લાગ્યા કે – “હે જીવ! તેં જ કરેલા પૂર્વકર્મનું ફળ સહન કર કારણ કે –
"उपेक्ष्य लाष्टक्षेप्तार, लौष्ठ दृष्ट्वाति मंडलः । सिंहस्तु शरमप्रेक्ष्य, शरक्षेप्तारमीक्षते ॥
ઉપદેશમાળામાં પણ એવા જ ભાવાર્થની એક ગાથા છે કે -કુતરે ઢેફાંના ફેંકનારને ન જોતાં ઢેફાને કરડવા જાય છે અને સિંહ બાણને ન જોતાં બાણ મારનારને પકડે છે–તેની તરફ દષ્ટિ ફેંકે છે.”
પછી પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરીને અને સમ્યફ પ્રકારે આલેચના કરીને મુનિએ આ પ્રમાણે અનશન કર્યું -
હું ચાર શરણને અંગીકાર કરું છું. અરિહંતશરણ, સિદ્ધશરણું, સાધુશરણ અને જિન ધર્મશરણ –એ ચાર શરણ મને પ્રાપ્ત થાઓ. તેમજ અઢાર પાપસ્થાનના હું પચ્ચખાણ કરું છું. તે આ પ્રમાણે –પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, દ્રવ્યમૂચ્છ,
ધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રિતિ અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય-એ
અઢાર પાપસ્થાનોને હું સિરાવું છું, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ગુરૂને નમસ્કાર કરું છું.'