________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૩૫
(૧૦૩) અરે ભાઈ ! જેને સ્વરૂપનો મહિમા જાગ્યો અને પ્રસન્ન ચિત્તે તેના સ્વરૂપને સાંભળ્યું તેને “હું અબદ્ધ છું' એવો નિર્ણય થયો છે. ભલે તે વિકલ્પરૂપ હો, પણ “આ હું છું” એમ સ્વરૂપનો પક્ષ કરનારને રાગનો-વ્યવહારનો પક્ષ છૂટી જાય છે અને તેથી તે સ્વરૂપનો આશ્રય કરી અલ્પકાળમાં મુક્તિને પાત્ર થઈ જાય છે. અહાહા...! જેણે ચિત્યમત્કારસ્વરૂપ ભગવાન આત્માના અપરિમિત સામર્થ્યની વાત ઉલ્લસિત વીર્યથી સાંભળી છે તેને “હું અબંધ છું, મુક્તસ્વરૂપ છું, આનંદનું ધામ છું” –એમ અંતરમાં પક્ષ-પ્રેમ થયો છે અને તેથી તે રાગથી ભિન્ન પડીને ભાવિમાં સ્વરૂપનો આશ્રય લઈ અવશ્ય મુક્તિને પાત્ર થઈ જશે. જુઓ ! આ સ્વરૂપની વાર્તા સાંભળવાનો મહિમા ! સ્વરૂપના આશ્રયનું તો કહેવું જ શું?
અહીં દશ બોલથી કહે છે૧. જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, કેમકે ૨. તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે, ૩. તે વડ ભ્રન્તિનો નાશ થાય છે, ૪. ભ્રાન્તિનો નાશ થતાં આત્માનો લાભ થાય છે, ૫. તે વડે અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, અને ૬. તેનાથી કર્મ જોરાવર થઈ શકતું નથી, તથા ૭. રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતા નથી, ૮. તેનાથી કર્મ આસ્રવતું નથી, નવું કર્મ બંધાતું નથી, ૯. પૂર્વનાં બંધાયેલાં કર્મ નિર્જરી જાય છે તથા ૧૦. સમસ્ત કર્મનો અભાવ થતાં સાક્ષાત્ મોક્ષ થાય છે.
(૭-૧૮૮) (૧૦૪) ભગવાન આત્મા અદ્ભૂતનિધિ છે. અહાહા...! જેમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઇત્યાદિ અનંત અનંત સ્વભાવો ભર્યા છે એવો મહા આશ્ચર્યકારી ખજાનો ભગવાન આત્મા છે.
ભાઈ ! તને અબજો ની નિધિ હોય તો પણ તે સંખ્યાત છે, તેની હદ છે; જ્યારે આ અદ્દભુત ચૈતન્યરત્નાકરની નિધિ બેહદ-અપાર છે. આકાશના પ્રદેશોની સંખ્યા અનંત છે. તેના કરતાં પણ અનંતગુણાં ગુણરત્નો ચૈતન્યરત્નાકરમાં ભર્યા છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં રેતીની જગ્યાએ નીચે રત્નો ભર્યા છે. તેમ આ સ્વયંભૂ ભગવાન આત્મામાં-જે સ્વયંથી રહેલો-થયેલો છે અને સ્વયંથી પ્રગટ થાય તેવો છે એવા સ્વયંભૂ ભગવાન આત્મામાં-અનંત ચૈતન્યનાં રત્નો ભર્યા છે. અહો ! પરમ આશ્ચર્યકારી સ્વરૂપ ભગવાન આત્માનું છે ! માટે કહે છે-ભાઈ ! આ બધા બહારના જડના-ધૂળના ભપકાના આકર્ષણ છોડી દે અને આશ્ચર્યોનું નિધાન એવો ત્રણલોકનો નાથ ભગવાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com