________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૨
અધ્યાત્મ વૈભવ
છું' એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે ને પુણ્યબંધનું કારણ છે. આવું લ્યો! ભાઈ ! આ તો વીતરાગના કાયદા બાપુ !
અહાહા..! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં સત્ય અને અસત્ય બધું જ્ઞાનમાં આવ્યું એ ભગવાનની વાણીમાં આ આવ્યું કે-પરની અહિંસા કરી શકું છું, એકેન્દ્રિયાદિ છ કાયના જીવોની દયા કરી શકું છું એવો અભિપ્રાય મિથ્યા છે અને તે પુણ્યબંધનું કારણ છે. ભાઈ ! પુણ્યબંધનું કારણ કહ્યું માટે હરખાવા જેવું નથી હો; કેમકે પુણ્યને પાપ-બન્નેમાંય બંધનું કારણ તો અહંકારયુક્ત એક મિથ્યા અધ્યવસાય જ છે. તેથી પુણ્ય સારં-ભલે ને પાપ ખરાબ એમ ફેર ન પાડવો. બન્નેય બંધની અપેક્ષાએ સમાન જ છે.
જેમ અહિંસામાં તેમ સત્યમાં-હું સત્ય બોલું છું, વા ભાષા સત્ય કરી શકું છું એવો અધ્યવસાય તે મિથ્યાત્વભાવ છે. અરે ભાઈ ! જે ભાષા બોલાય તે તો જડ શબ્દવર્ગણાનું કાર્ય છે. તેને ચેતન કેમ કરે? તથાપિ હું (ચેતન) આમ સત્ય વચન બોલી શકું છું, અને હું બોલું તો બોલાય ન બોલું તો ન બોલીય એમ જે માને છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. અહા ! સત્ય બોલવાનો ભાવ અને ભાષાના જડ પરમાણુઓની ક્રિયા હું કરું છું એમ જે માને છે તે મિથ્યાત્વભાવ છે. ત્યાં સત્ય બોલવાના શુભભાવથી પુણ્યબંધ થાય છે પણ સાથે અનંત સંસારનું બીજ એવું મિથ્યાત્વ તો ઊભું જ છે
તેમ દત્તમાં, દીધા વિના લેવું નહિ, દીધેલું લેવું-એવો અચૌર્યનો ભાવ તે શુભભાવ છે. ત્યાં એ શુભભાવનો હું સ્વામી છું, ને દીધેલી પર ચીજ હું લેવી હોય તો લઉં, ન લેવી હોય તો ન લઉં-એમ પરદ્રવ્યની ક્રિયાનો હું સ્વામી છું એવો અધ્યવસાય કરે તે મિથ્યાત્વભાવ છે. ભાઈ ! પરદ્રવ્ય આવે તે એના કારણે ને ન આવે તે પણ એના કારણે; એમાં તારું કાંઈ કર્તવ્ય નથી, છતાં તે દીધેલું હું લઈ શકું છું આવો શુભ અધ્યવસાય પુણ્યબંધનું કારણ છે અને ભેગું મિથ્યાત્વ તો ઊભું જ છે.
તેમ બ્રહ્મચર્યમાં, “હું શરીરથી બ્રહ્મચર્ય પાળી શકું છું” એવો અધ્યવસાય મિથ્યાત્વભાવ છે; એનાથી પુણ્યબંધન થાય છે. અહા ! શરીર તો જડ ભિન્ન દ્રવ્ય છે. આને બ્રહ્મચર્ય પાળવાનો ભાવ થયો હોય ત્યાં શરીરની વિષયની ક્રિયા ન થઈ તો “મેં ન કરી તો ન થઈ ' -એમ જડની ક્રિયાનું કર્તાપણું માને તે અધ્યવસાય મિથ્યાત્વ છે; કેમકે શરીરની ક્રિયા જે સમયે જે થાય તે તો તેના રજકણો સ્વતંત્રપણે કરે છે. ત્યાં હું વિષય ન લેવું એવો ભાવ શુભભાવ છે તેથી પુણ્યબંધ થાય છે પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે.
તેવી રીતે અપરિગ્રહમાં હું પરિગ્રહરહિત છું, વસ્ત્ર છોડીને નગ્ન થયો છું અને ઘરબાર સર્વ છોડ્યાં છે-એવો જે અપરિગ્રહનો અભિમાનયુક્ત અધ્યવસાય છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com