Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 455
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુ અથવા મુનિ ૪૪૩ અંતરમાં તત્ત્વદૃષ્ટિ-વીતરાગદષ્ટિ પ્રગટી છે અને બહારમાં સહજ નગ્નદશા છે તેને મોક્ષનો માર્ગ ને મોક્ષ કહ્યો છે. વસ્ત્રસહિત મુનિપણું માનવું એ તો માર્ગ જ નથી. ઉન્માર્ગ છે. આચાર્ય કહે છે-વસ્ત્રસહિત જે મુનિપણું માને-મનાવે તે નિગોદમાં ચાલ્યા જશે, લસણડુંગળીમાં જઈને જન્મશે અને અનંતકાળ ત્યાં રહેશે. શ્રીમદ્ રાજચંદ્રજીએ એક વાર કરુણાÁ થઈ કહેલું કે-અરેરે! આ અમારો સત્યનો નાદ કોણ સાંભળશે? ભગવાનની વાણીનો આ પોકાર કે વસ્ત્રને એક ધાગો પણ રાખીને મુનિપણું માને-મનાવે કે માનનારાને ભલો જાણે તે ત્રણેય નિગોદગામી ; એકેન્દ્રિયમાં ઉપજી અનંતકાળ ત્યાં અનંત દુઃખમાં પડયા રહેશે. ભાઈ ! આવો મનુષ્યભવ માંડ કોઈ પુણ્યયોગે મળ્યો છે તેમાં જો દ્રવ્યદષ્ટિ પ્રગટ ન કરી તો પ્રભુ! તારા ઉતારા ક્યાં થશે? અરેરે ! તત્ત્વદષ્ટિ પામ્યા વિના ચોરાસીના ભવસિંઘુમાં તું ક્યાંય ગોથાં ખાતો ડૂબીને મરી જઈશ ! આવો માર્ગ સાંભળવા મળવોય આ કાળે દુર્લભ છે, માટે સાવધાન થા અને અંતરષ્ટિ કર. (૯-૨૪૭) (૧૨૪૪) અહા ! શુદ્ધ અંત:તત્ત્વની આવી વાત સાંભળનારાય આજે તો અતિ દુર્લભ છે. અહો ! સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે કે તું પણ અંદર મારા જેવો પરમાત્મા છો. એક સમયની પર્યાયમાં ભૂલ છે; તે સ્વાધીન દષ્ટિ થતાં નીકળી જવા યોગ્ય છે. અહા ! આઠ વર્ષનો બાળક પણ સમજણ કરીને કેવળ લે એવી તેની શક્તિ છે. આઠ વર્ષનો રાજકુમાર હોય તે ગુરુ પાસે જઈ અતિ વિનયવંત થઈને સાંભળે ને તેને અંતરમાં બેસી જાય કે-અહો! હું તો પૂર્ણાનંદનો નાથ એકલી શાંતિનો પિંડ છું. મને બીજા કોઈની અપેક્ષા–જરૂર નથી. અહા ! આવું ભાન થયા પછી એને અંદર એવું વૈરાગ્યનું દબાણ ઊભું થાય કે તે સ્વરૂપમાં વિશેષ રમવા માટે દિક્ષિત થવા ઈચ્છે અને ત્યારે તે માતાની પાસે જળને કહે કે હે માતા! આ શરીરને ઉત્પન્ન કરનારી તું જનેતા છો; તું મારા આત્માની જનેતા નથી. મેં મારા આત્માને જાણો-અનુભવ્યો છે, ને હવે હું પૂર્ણ સાધના કરવા જંગલમાં જાઉં છું. હે માતા! હવે હું બીજી માતા કરવાનો નથી, માટે માતા! મને રજા આપ. અહાહા...! મણિમય રતનથી જડેલા જેના રાજમહેલ છે એવા રાજાનો પુત્ર-રાજકુમાર માતાની આજ્ઞા લઈને પરિપૂર્ણ આનંદને સાધવા જંગલમાં ચાલ્યો જાય છે! અહો ! ધન્ય એ વૈરાગ્યનો પ્રસંગ! ધન્ય એ મુનિદશા !! અહા ! જેમ દ્રવ્યદૃષ્ટિવંત પુરુષ તીવ્ર વૈરાગ્યને પ્રાપત થતાં સાધનાની પૂર્ણતા કરવા માટે ગૃહવાસ છોડી જંગલમાં ચાલ્યો જાય છે તેમ, વર્તમાન પર્યાયમાં જે વિકાર ને અલ્પજ્ઞતા છે તે પોતાની દશા છે, કર્મને લઈને નથી-એમ પર્યાયની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492