Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 490
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૮ અધ્યાત્મ વૈભવ શ્રુતજ્ઞાન પ્રગટ થયું તે એક સમયની પર્યાય છે, માટે ધર્મી પુરુષ એનું ધ્યાન કરતો નથી. પર્યાય ખંડરૂપ વિનશ્વર છે ને? માટે ધર્માત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયનું પણ ધ્યાન કરતો નથી. અહા ! ધ્યાનની કરનારી પર્યાય છે, પણ તે પર્યાયનું-ભેદનું ધ્યાન કરતી નથી; એ તો અખંડ અભેદ એક નિજ પરમાત્મદ્રવ્યને જ ધ્યાવે છે. ધર્માત્માની ધ્યાનની દશા એક ધ્રુવને જ ધ્યાવે છે, ભેદની સામે એ જોતી જ નથી. આ રીતે ધર્મ પુરુષ નિજ પરમાત્મતત્ત્વને ભાવીને–ધ્યાવીને ધ્યાનનું ફળ જે મોક્ષ તે અવિચલ દશાને પ્રાપ્ત થઈ જાય છે. (૯-૧૭૪) (૧૩૫૦) સમાધિતંત્રમાં પણ આવે છે કે-સિદ્ધનું ધ્યાન કરતાં આત્માનું ધ્યાન થાય છે. એનો પણ આવો જ અર્થ છે કે સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતાં હું પોતે સ્વરૂપથી સિદ્ધ છું એમ સ્વરૂપની અંતર્દષ્ટિ થાય ત્યારે આત્મધ્યાન થાય છે. આવી વાત છે. અરે ભાઈ ! હમણાં જ તું આ નહિ સમજે તો ક્યારે સમજીશ ? જોતજોતામાં આયુ તો પૂરું થઈ જશે; પછી તું ક્યાં જઈશ? જો તો ખરો, આ ભવિસંઘું તો અમાપ દરિયો છે. પુણ્યથી ધર્મ થાય ને નિમિત્તથી કાર્ય થાય ઇત્યાદિ શલ્ય ઊભું રહેશે તો અપાર ભવસમુદ્રમાં ચોરાશી લાખ યોનિમાં તું ક્યાંય આથડી મરીશ ભાઈ! (૯-૨૨૮) (૧૩૫૧ ) અહાહા...! આત્મા જ્ઞાનધામ-વિજ્ઞાનનમંદિર પ્રભુ અંદર નિત્ય વિરાજી રહ્યો છે. અહાહા...! અનાદિ અનંત ધ્રુવ નિત્યાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ અંદર શાશ્વત વિરાજી રહ્યો છે. જ્યાં પર્યાયમાં થતાં વિભાવનું લક્ષ છોડી અંદર ધ્રુવધામ નિજ ચૈતન્યધામમાં દષ્ટિ જોડી દે કે તત્કાલ તે કર્તાપણાથી રહિત થઈ જ્ઞાતાપણે પ્રગટ થાય છે. ઝીણી વાત છે પ્રભુ! આ દરિયામાં વહાણ ચાલે છે ને? તે ધ્રુવ તારાનું લક્ષ રાખીને રાત્રે ચાલે છે. તેમ અહીં ૫૨માત્મા કહે છે-ચૈતન્યધાતુને ધરનાર ધ્રુવ ધ્યેયરૂપ ધ્રુવધામ અંદર નિત્ય બિરાજે છે તેના ધ્યાનની ઘણી ધગશથી ધખાવ, જેથી સમ્યગ્દર્શન આદિ ધર્મ તને પ્રગટ થશે. એક સમયની પર્યાય છે તેમાં દૃષ્ટિ ન જોડ, પણ ધ્રુવ ધ્યેયની ધૂન લગાવી તેનું ધ્યાન કર. આ ધર્મ પામવાની રીત છે. અહો ! ધ્રુવધામમાં ધ્યેયની ધખતી ધૂણી ધખાવી ધીરજથી ધ્યાનરૂપ ધર્મનો ધા૨ક ધર્મી જીવ ધન્ય છે. (૯-૨૬૯ ) (૧૩૫૨ ) દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરવી કહી તે તે નિર્મળ રત્નત્રયના પરિણામને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ વાત છે, બાકી સેવના-ઉપાસના તો ત્રિકાળી શુદ્ધજ્ઞાનમય દ્રવ્યની કરવાની છે. ત્રિકાળી શુદ્ધ નિજ જ્ઞાયકસ્વરૂપની દષ્ટિપૂર્વક તેમાં જ રમણતા કરવાની નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્રની વીતરાગી દશા પ્રગટ થાય છે અને તેને રત્નત્રયની સેવના-ઉપાસના કહે છે, કાંઈ પર્યાયની દૃષ્ટિ અને ઉપાસના કરવાં છે એમ અર્થ અથી. પર્યાયને સેવતા જોવામાં આવે છે એમ કેમ કહ્યું ? કે નગ્નદશા અને રાગની સેવાનો અભાવ છે તો નિર્મળ રત્નત્રયને સેવે છે એમ કહ્યું, બાકી સેવના તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492