________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૨
અધ્યાત્મ વૈભવ
ન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અંતર-પુરુષાર્થ કરતા નથી. આ પ્રમાણે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. અહાહા...! અત્યંત સૂક્ષ્મસ્વરૂપ જે ચિદાનંદમય ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તેના લક્ષ્યથી રહિત હોવાથી તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.
(૬-૧૭૯) (૧૦૫૮) અજ્ઞાની અશુભકર્મને બંધનું કારણ માને છે પણ જેમાં કર્મનો ભેદ અનુભવ છે એવા શુભને મોક્ષનું કારણ માને છે; એમ કે શુભ કરતાં કરતાં મોક્ષમાર્ગ થઈ જશે. તે એમ કહે છે-આપણે તો ક્યાં દુકાને બેઠા છીએ, આપણે તો અપાસરે બેઠા છીએ; આપણે ક્યાં ઘરમાં (ગૃહવાસી) છીએ, આપણે તો દેરાસરમાં ભગવાન પાસે બેઠા છીએ; ઇત્યાદિ. પણ ભાઈ !
જ્યાં તું બેઠો છે એ બધો શુભરાગ છે. કાંઈ અંદર આત્મામાં બેઠો નથી, સામાયિકસ્વરૂપ પોતાના ભગવાનમાં બેઠો નથી.
પ્રશ્ન-- શાસ્ત્રમાં શુભને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તર- - હા, પણ એનો અર્થ શું? કે સાધક ધર્મી જીવ એનો (શુભનો) અભાવ કરીને-એટલે કે વર્તમાનમાં એનો પૂરો અભાવ નથી તો અંદર સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય કરીને એનો અભાવ કરશે તે અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બધાની આ તકરાર છે કે શુભને પરંપરા કારણ કહ્યું છે, પણ એનો અર્થ શું થાય એની ખબર નથી. ભાઈ ! ચૈતન્યના અવલંબને જે વીતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે તે પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ય થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે. પણ તે વેળા ક્રમશઃ અભાવરૂપ થતો જે શુભરાગ સહુચરપણે છે તેમાં આરોપ આપીને તેને પરંપરા કારણ કહ્યું છે. શુભરાગ ખરેખર પરંપરા કારણ છે એમ છે નહિ; સમજાણું કાંઈ...! લ્યો, આવી ખબર નથી એટલે અજ્ઞાની જીવો શુભને જ મોક્ષનું કારણ જાણી તેનો આશ્રય કરે છે.
(૬-૧૧૩) (૧૦૫૯) જયપુરમાં આ પ્રશ્ન થયો હતો કે રાગદ્વેષના પરિણામ જીવના છે (જીવની પર્યાયમાં થાય છે). એને પુદ્ગલના કેમ કહ્યા?
સમાધાન - - સમાધાન એમ છે કે-રાગ છે તે વસ્તુ-તત્ત્વ (–આત્માનો સ્વભાવ) નથી. નીકળી જાય છે ને? જો રાગ આત્માનો સ્વભાવ હોય તો નીકળી ન જાય; આત્માથી ભિન્ન ન પડે, પણ નીકળી જાય છે તેથી તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે. પુદ્ગલના ઉદયના સંગે થાય છે તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે આત્માની ચૈતન્યજાતિના નથી અને પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે તેથી રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com