________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬
અધ્યાત્મ વૈભવ ગતિનો ઉદય છે. વર્તમાન એક ગતિ વિપાકપણે છે, બીજી ત્રણ વિપાકપણે નથી; પણ અંદર ઉદયમાં આવ્યા વિના ખરી જાય તે અવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. આનંદનો નાથ પ્રભુ ત્રિકાળી આત્મા છે તેમાં અંતઃપુરુષાર્થ કરવામાં આવતાં કર્મ પુરુષાર્થથી ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે; તેને પણ જ્ઞાની પુરુષ બસ જાણે છે, કરે છે એમ નહિ, સમજાણું sirs...?
સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જ્ઞાની જાણે છે. અહો ! ધર્મો જીવ જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવે પરિણમે છે. તેને રોજ દસ વાગે ભોજન લેવાનો ટાઈમ હોય પણ પ્રસંગવશ કોઈ વા૨ મોડું થાય ને બપોરે બે ત્રણ વાગે ભોજન લેવાનું બને તો ત્યાં તે આકુળ-વ્યાકુળ થતો નથી પણ સમભાવથી સહન કરે છે. ત્યારે જે નિર્જરા થાય છે તે અકામ નિર્જરા છે
અજ્ઞાનીને પણ અકામ નિર્જરા થતી હોય છે પણ તે સમભાવપૂર્વક હોતી નથી. અહીં કહે છેજ્ઞાની તેને જે અકામ નિર્જરા થાય છે તેને જાણે છે, કરે છે એમ નહિ.
વળી સમકિતીને પુરુષાર્થપૂર્વક તપ વગેરે દ્વારા જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે. તેના પણ જ્ઞાની જ્ઞાતા છે, કર્તા નથી. અહા! રાગ થાય તેનેય જ્ઞાની જાણે, કરે નહિ; અને રાગ ટળે તેનેય જ્ઞાની જાણે પણ કરે નહિ. અહા! જ્ઞાતાસ્વભાવે પરિણમેલા જ્ઞાની-ધર્મી જીવની અંતર દશા અદ્દભુત અલૌકિક હોય છે. (૯-૧૦૦ )
(૯૭૯ )
અશુદ્ધતાનું ગળવું, શુદ્ધતાનું વધવું ને કર્મનું ખરી જવું એમ નિર્જરા ત્રણ પ્રકારે છે. એમાં અશુદ્ધતાનું ગળવું એ વ્યવહારનયથી છે ને કર્મનું ટળવું એ અસદ્ભૂત વ્યવહારનયથી છે. શુદ્ધતાનું વધવું એ વાસ્તવિક નિર્જરા છે. અહીં કહે છે-એક સમયમાં એ ત્રણેય છે. હવે એ છે એને કરવું શું? અહાહા...! શુદ્ધતાનું વધવું એ એક સમયનું તે-તે સમયે સત્ છે; હવે એ પર્યય સત્-વિદ્યમાન છે તેને કરવી શું? અહાહા...! શુદ્ધિપયોગની સ્થિરતા થતાં ત્યાં શુદ્ધતાનું વધવું હોય છે. (૯–૧૮૪ )
(૯૮૦)
ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી, વીતરાગસ્વભાવી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. અહાહા...! આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેઠે છે, અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકારે છ અર્થાત્ તેને પવિત્રતાની-શુદ્ધતાની વિશેષ દશા પ્રગટ થાય છે. શું કીધું? જેમાં આ બધું જણાય છે તે જાણનારો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. અહા! તે જાણનારને જાણી, તેમાં જ એકાગ્રતા કરી રમવાથી-ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે. લ્યો, આ સંવર અને નિર્જરા છે. બંને સાથે છે હોં. વર્તમાન શુદ્ધિ જે પ્રગટ થાય તે સંવ૨ અને વિશેષ રમણતાથી શુદ્ધિમાં વૃદ્ધિ જે થાય તે નિર્જરા. ( ૧૦–૮૪ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com