________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ
૩૩૯ અને રમણતા કરે તો બંધ કપાય. પ્રજ્ઞાથી રાગને દ્વિધા-ભિન્ન કરે ને સ્વરૂપને અનુભવે તો બંધ કપાય. શુદ્ધને અનુભવતાં શુદ્ધતા થાય, અબંધ થાય; પણ અશુદ્ધતા કરતાં કરતાં શુદ્ધતાઅબંધતા ત્રણકાળમાંય ન થાય. બંધના સ્વરૂપના વિકલ્પમાત્ર કરવાથી જ બંધ કદીય ન કપાય.
(૮-૩૮૨). (૯૨૭). રાગાદિક એટલે આ શુભાશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ એ બંધનું સ્વલક્ષણ છે. પુણ્ય-પાપના ભાવ કાંઈ આત્માનું લક્ષણ નથી. અહા ! પાપભાવ તો નહિ પણ પુણ્યના ભાવ પણ કાંઈ આત્માનું લક્ષણ નથી. અહા ! પુણ્યભાવથી અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં આત્મા જણાય એમ કોઈ કહે તો આ ખોટું છે. અહીં! એ બંધભાવથી અબંધ આત્મા કેમ પ્રાપ્ત થાય ? ન થાય.
(૮-૪૦૭) (૯૨૮) પદ્રવ્ય એટલે વ્રત, તપ, ભક્તિ, દયા, દાન આદિ પરભાવોને જે પોતાના માની ગ્રહણ કરે છે એ અપરાધી એટલે ગુન્હેગાર છે. શું કહ્યું આ? કે દેગ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર-ભણતરનો રાગ અને પાંચમહાવ્રત, સમિતિ, ગુતિ આદિ વ્યવહારરત્નત્રયનો રાગ કે જેને ધર્મી પુરુષ પરદ્રવ્ય જાણે છે તેને પોતાનું માનવું તે અપરાધ-ગુન્હો છે; અને એવો અપરાધી જીવ બંધનમાં પડે છે. ભાઈ ! જેટલા વ્યવહારના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે બધા પરદ્રવ્ય છે. તેને જે ભલા અને સ્વદ્રવ્ય જાણે છે તે ગુન્હેગાર-ચોર-અપરાધી છે. (૮-૪૭૧)
(૯૨૯) અહાહા....! જે મુનિરાજ સ્વદ્રવ્યમાં જ સંતુષ્ટ થઈ રમે છે તે નિરપરાધી છે. જે પરદ્રવ્ય-પરભાવને વાંછતો નથી પણ નિત્યાનંદ-સહજાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં જ ગુમ થઈ તૃતતૃત રહે છે તે નિરપરાધી છે અને તેથી તે બંધાતો નથી.
કેટલાક કહે છે-અત્યારે શુદ્ધ ઉપયોગ નથી, માટે પુણ્ય એ જ ધર્મ છે.
અરે! તું શું કહે છે ભાઈ? શુદ્ધ ઉપયોગ નથી તેથી શું પુણ્ય ધર્મ થઈ જાય? અહીં તો એને પરદ્રવ્ય કહે છે અને ગ્રહણ કરવું તે અપરાધ છે, બંધન છે. અરે ભાઈ ! પુર્ણ કરીને તો તું અનંતવાર નવમી રૈવેયક ગયો, પણ ભવભ્રમણ મટયું નહિ. અહા! પરદ્રવ્યને-પુણ્યને પોતાનું માને એ મહા અપરાધ છે અને એની સજા ચાર ગતિની જેલ છે. (૮-૪૭૧)
(૯૩૦) જુઓ, જે ચોરી આદિ અપરાધ કરે તેને શંકા-ભય થાય કે મને કોઈ પકડશે, બંધનમાં નાખશે. પણ નિરપરાધને શંકા-ભય શું કામ થાય? જે નિરપરાધ છે એ તો નિર્ભય જ છે, તેને બંધનનો ભય નથી...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com