________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૩
આત્માનુભૂતિ
ઉત્તર:- ના, એમ નથી. અંદરવસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા અબદ્ધસ્પષ્ટ જ છે. ભગવાને પણ આત્મા અબદ્ધસ્પષ્ટ જ જોયો છે. ભલે (વાણીમાં) તેનો વિસ્તાર વિશેષ ન થઈ શકે પણ વસ્તુ સામાન્ય જે છે તે એવી જ છે; અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. પણ “હું અબદ્ધસ્પષ્ટ છું” એવો જે વિચાર છે તે નવપક્ષ છે. એ નયપક્ષને જે ઓળંગે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે ભગવાન સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને નિજ
સ્વરૂપનો અનુભવ થતો નથી. અરે ભાઈ ! નયપક્ષના વિકલ્પને જે પોતાનું કર્તવ્ય માને છે તે મિથ્યાષ્ટિ છે અને તેને આત્મા પ્રાપ્ત થતો નથી.
સર્વ વિકલ્પનું લક્ષ છોડી, અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્યસ્વભાવી ભૂતાર્થ વસ્તુ છે તેની દષ્ટિ કરતાં આત્મા જેવો છે તેવો પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહારથી થાય કે પરથી થાય એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. નિર્વિકલ્પ અનુભવથી આત્મા પ્રાપ્ત થાય એવો છે પણ વ્યવહારથી કે વિકલ્પથી પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી.
(૫-૨૮૮) (ર૬૯) –ભગવાન તે નયપક્ષના વિકલ્પો હેઠળ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માને ચગદી નાખ્યો છે. ભાઈ ! હું એક છું, અબંધ છું, પવિત્રતાનો પિંડ છું-એવો નયપક્ષનો જે વિકલ્પ છે તે રાગ છે અને તે આત્માની શાંતિને દઝાડનારો છે; તો પછી અન્ય સ્થળ વિકલ્પોનું તો શું કહેવું?
જેમણે નયપક્ષને છોડી દીધા છે તેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ને સદા રહે છે. નયપક્ષના વિકલ્પને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે, અને નયપક્ષને છોડીને જે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે અંતરાત્મા છે. વસ્તુ સહજાનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે. તેનાં સન્મુખ થતાં સ્વરૂપમાં ગુપ્ત થવાય છે. જેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે વિકલ્પ છે એ તો અશાંતિ હું શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું-એવો જે વિકલ્પ છે તે અશાંતિ છે. વિકલ્પ મટતાં શાંતિ છે.
ભગવાન આત્મા શાંતરસનો સાગર છે. તેમાં નિમગ્ન થઈને, ડૂબકી મારીને જ્ઞાનીનું ચિત્ત શાંત-શાંત થયું છે. આ સમકિતીની ક્રિયા છે. ધર્મીને અશાંતિ છૂટીને શાંતિ પ્રગટ થઈ છે અને એવા થયા થકા તે સાક્ષાત્ અમૃતને પીએ છે. છે ને તે છેવ સાક્ષાત અમૃત પિવત્તિ' –તેઓ જ –જેનો નયપક્ષરહિત થયા છે તેઓ જ વિકલ્પરહિત થઈને સાક્ષાત્ અમૃતને પીએ છે. આહાહા....! ભગવાન આત્મા નિત્ય અમૃતસ્વરૂપ છે તેમાં એકાગ્ર થઈને તેઓ સાક્ષાત્ અમૃતને અનુભવે છે, પર્યાયમાં નિરાકુળ આનંદને અનુભવે છે. આ જ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને ધર્મ છે ભાઈ ! આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com