________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૬૩ સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે ને તેમાં રમણતા થાય તે ચારિત્ર છે. આ પ્રમાણે આત્માના આશ્રયે પ્રગટ થયેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો કહેતાં આત્માની નિર્મળ વીતરાગી પર્યાય છે. હવે કહે છે-શરીરનો ઘાત થઈ જાય, શરીર જીર્ણ થાય, ને વાણી બંધ થઈ જાય ઇત્યાદિ જડની ક્રિયા થાય એથી કરીને આત્માના આશ્રયે પ્રગટ થયેલાં દર્શનજ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય છે શું? ના, નથી થતો કેમકે શરીર ભિન્ન ચીજ છે, ને આત્માના ધર્મો-દર્શન-જ્ઞાન-ચારિત્ર ભિન્ન ચીજ છે. શરીરની ક્રિયા ન થઈ તેથી કાંઈ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય એમ છે નહિ; કેમકે એ બંનેને (આધારઆધેય) સંબંધ નથી. શરીરની ક્રિયા ન થઈ શકે તો શરીરનો ઘાત થાય, પુલનો ત્યાં ઘાત થાય, પણ તેનાથી આત્માના કોઈ ધર્મો હણાતા નથી.
(૯-૪૧૨). (૪૫૫) શરીરની ક્રિયા બરાબર હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ટકે છે એમ છે નહિ. જરી સૂક્ષ્મ વાત છે પ્રભુ! જુઓ, શરીરની ક્રિયા ન કરી શકે અને પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્ર-ધર્મો તો ટકી રહે; ત્યાં પુદ્ગલનો ઘાત તો થયો પણ પોતાના ધર્મોનો ઘાત ન થયો. વળી શરીરની ક્રિયા બહારમાં બરાબર હોય, છતાં એ બહારની ક્રિયાથી મને લાભ છે એમ માને તેને પોતાના ધર્મોનો-દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થાય જ છે. અહાહા..! બહારમાં શરીરનીકાર્યોત્સર્ગ ને ઉપવાસ આદિ ક્રિયા ને વાણીની ક્રિયા એવી ને એવી થતી હોય છતાં અજ્ઞાની વિપરીતદષ્ટિ જીવને પોતાના ગુણોનો ઘાત થાય જ છે. આવી વાત! કોઈને આકરી લાગે પણ આ સત્ય વાત છે.
બહારની પ્રવૃત્તિ ન દેખાય છતાં આનંદનો નાથ પ્રભુ આત્માની સ્વસમ્મુખ પ્રતીતિ, જ્ઞાન ને રમણતા વર્તતી હોય તો તેને પોતાના ધર્મોનો ઘાત થતો નથી. આથી આ સ્પષ્ટ થયું કે વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પો તે આત્માના ધર્મો નથી. (કેમકે વ્રત, તપ આદિના અભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો નથી ને તેમના સદ્ભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો જોવામાં આવે છે.) વાસ્તવમાં સ્વસ્વરૂપ શુદ્ધ ચિતૂપસ્વરૂપ પ્રભુ આત્માની અંતર-દષ્ટિ થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે જ આત્માના ધર્મો છે અને તેને બહારમાં શરીરની ને વ્રતાદિ રાગની ક્રિયાની કોઈ અપેક્ષા નથી.
(૯-૪૧૩) (૪૫૬) અહીં તો એક કોર ભગવાન આત્મારામ પોતે સ્વ અને બીજી કોર આખું ગામ-શરીર, મન, વાણી, ઇન્દ્રિય, શુભાશુભ રાગાદિભાવ-એ બધુંય પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં, કહે છે, આત્માનો સ્વભાવ નથી. તેથી પરનો ઘાત થતાં પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com