________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
અધ્યાત્મ વૈભવ
છે, વાસ્તવમાં દેહાદિને જાણવાના કાળમાં જ્ઞાન જ જણાય છે. દેહાદિ પદાર્થ હો, પણ તેને જાણવાના કાળે જાણવામાં તો જ્ઞાન જ આવે છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. શું કીધું આ ? કે સૌ જીવોને જ્ઞાન પોતાના સ્વસંવેદન અર્થાત્ પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. દેહાદિ પદાર્થ છે. માટે જ્ઞાન છે એમ નહિ, પણ પોતાના વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે. ઝીણી વાત ભાઈ! આ બધું જાણે છે તે જ્ઞાન આત્માનું છે, માટે તે જ્ઞાનને આત્મા તરફ વાળ; તને આત્મા પ્રસિદ્ધ થશે.
,
અહાહા...! કહે છે- ‘તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્દ–અવિનાભૂત અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. શું કીધું ? કે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તદ્દ-અવિનાભૂત શ્રદ્ધા, સ્થિરતા, આનંદ, પ્રભુત્ત્વ, સ્વચ્છત્ત્વ આદિ અનંતધર્મોના સમુદાયરૂપ-પિંડરૂપ અભેદ એક ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે. પ્રસિદ્ધ જ્ઞાનલક્ષણ વડે પરદ્રવ્યો નેરાગાદિ જાણવા યોગ્ય છે એમ નહિ, પણ ત્રિકાળી અભેદ અનંતધર્મમય ચિદાનંદ પ્રભુ આત્મા પ્રસાધ્યમાન–સાધવા યોગ્ય છે. આમાં પ્રસિદ્ધ જ્ઞાનનું જ્ઞેય અને ધ્યેય કોને બનાવવું એની વાત છે. જ્ઞાનને અંતર્મુખ વાળીને તદ્દઅવિનાભૂત શુદ્ધ આત્માને ધ્યેય બનાવવાની આમાં વાત છે; કેમકે એ રીતે આત્માની પ્રસિદ્ધિ થાય છે. અર્થાત્ સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટે છે.
( ૧૧–૪ )
( ૧૯૪ )
અહા ! અંતરમાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેને ધ્યેય બનાવ્યા વિના, તેનો આશ્રય કર્યા વિના બધું (જાણપણું) ધૂળ-ધાણી છે; કેમકે જ્ઞાન જે પ્રસિદ્ધ છે તેના વડે ( પ્રસાઘ્યમાન તો એક શુદ્ધ આત્મા છે. શું કીધું? જે દશામાં જાણપણું છે તે જાણવાની દશા પ્રસિદ્ધ છે, કેમકે તે પોતાના વેદનથી સિદ્ધ છે. જ્ઞાન સ્વને જાણે છે. ૫૨ને પણ જાણે છે, એને એમાં પરની જરૂર-અપેક્ષા નથી. જ્ઞાન સ્વને જાણે ને, જાણવારૂપ પ્રવર્તે, વળી જ્ઞાન પરને પણ જાણે, પણ ૫૨ને કરે નહિ ને પરમાં ભળે નહિ. અહાહા...! આવું જ્ઞાન પ્રસિદ્ધ છે, અને એ જ્ઞાન વડે પ્રસાઘ્યમાત સાધવાયોગ્ય અનંતધર્મોના સમુદાયરૂપ એક અભેદ ભગવાન આત્મા છે. અહાહા...! પ્રસિદ્ધ જાણવાની પર્યાય છે એ વડે, અહીં કહે છે, રાગ કે નિમિત્તને પકડવાં નથી, પણ અંતરંગમાં અનંતધર્મનો ધરનારો ધ્રુવધામ નિજધ્યેયરૂપ પ્રભુ આત્મા છે તે એકને પકડવો છે. જાણવાની દશા જે લક્ષણ છે તેના લક્ષરૂપ લક્ષ્ય એક ધ્રુવ ભગવાન આત્મા છે. બસ, આ સિવાય બાહ્ય નિમિત્તો- દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ અન્ય કોઈ એનું લક્ષ્ય નથી. આવી સૂક્ષ્મ અને ગંભીર વાત છે બાપુ ! ...
અહાહા...! ભગવાન! તું કોણ છો ? અંતરંગમાં આનંદનો ભંડા૨ સચ્ચિદાનંદમય આત્મા છો ને પ્રભુ! અને એ સદા જ્ઞાનસ્વરૂપ જ છે, રાગરૂપે કે સંસારૂપે એ કદીય થયો નથી. તારું ઘર જ એ છે; રાગ કે નિમિત્ત એ કોઈ તારું ઘર નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com