________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬O
૨૭ થાય છે. શાકના વૃદ્ધિને ભિન્નતાનું ભાન નથી થતું. સમજમાં આવ્યું?
શાકની જેમ ખીચડીમાં નિમક નાખે છે. બીજા દેશમાં તો ચોખા- (ભાત) માં પણ નિમક નાખે છે. આપણે અહીંયા ચોખામાં નિમક નાખતા નથી. આપણે ખીચડીમાં નિમક નાખે છે.
તો એક વખત એવું બન્યું કે- ખીચડી બહુ ખારી થઈ ગયેલી. ખીચડી થાળીમાં આવી અને ખીચડી ખારી, ઘરે દીકરીના સસરા હતા, સતાપ્રિય હતા. શેઠે ઘરના બૈરાઓને પૂછયું કોણે આમાં મીઠું નાખ્યું છે? બે-ચાર બાઈઓ કહે- અત્યારે બોલશો નહીં. એક બાઈએ એકવાર મીઠું નાખ્યું હતું, બીજી બાઈ આવી અને તેણે પણ મીઠું નાખ્યું. એ ખારાપણું છે તે ખીચડીનું નથી, નિમકનું છે. આ લવણ અને ખીચડીના ભેદનું જ્ઞાન જેને નિજ સ્વરૂપનું જ્ઞાન થાય છે તેને જ પરપ્રકાશકજ્ઞાન યથાર્થ થાય છે. એમ કહે છે.
“ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યાં ખારું વ્યંજન એમ કહેવાય છે, જણાય પણ છે, સ્વરૂપ વિચારતાં ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે.
બોલવામાં તો એમ આવે છે કે- શાક ખારું, ખીચડી ખારી, રોટલી ખારી, અને બાજરાનો રોટલો બનાવે તેમાં મીઠું નાખે, તો ઈ મીઠું છે તે ખારું છે અને બાજરાનો લોટ તે ભિન્ન ચીજ છે. આહાહા ! કહે છે કે- લવણના સંયોગથી વ્યંજન એટલે શાક ખારું કહેવાય, શાક ખારું નથી.
શાક બનાવે તેમાં અંદર સંભારી નાખે છે. શાકમાં તેલ નાખી અને તે સંભાર નાખે છે. તો ખારું વ્યંજન એમ કહેવામાં તો આવે છે, તેમ જાણ્યું પણ જાય છે, પરંતુ સાચું સ્વરૂપ વિચારતાં ખારું તો લવણ છે, વ્યંજન તો કેવું છે તેવું છે. આહાહા! શાક ખારું થયું જ નથી.
તેમ ભગવાન આત્મા પુણ્ય- પાપના ભેદભાવરૂપ આત્મા થયો જ નથી. જેમ શાક ખારું થયું જ નથી, તેમ ભગવાન આત્મા દયાદાન, વ્રત-ભક્તિ આદિના વિકલ્પ અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળના ભેદરૂપ અભેદ આત્મા થયો જ નથી. અજ્ઞાનીને આત્મા ભેદરૂપે ને રાગરૂપે ભાસે છે- તે દૃષ્ટિ મિથ્યાત્વ છે. ધર્મીને તો આત્મા અભેદ ભાસે છે.
આત્માનું સ્વરૂપ વિચારતાં અર્થાત્ જ્ઞાન કરતાં, અખંડાનંદ નાથ પ્રભુનું જ્ઞાન કરતાં તેને આનંદનો સ્વાદ આવે છે. અનાદિથી જે રાગનો સ્વાદ હતો તે છૂટીને તેને આનંદનો સ્વાદ આવે છે. તેનું નામ અનુભૂતિ ને તેનું નામ સમ્યગ્દર્શન છે. સમાજમાં આવ્યું? આ કોઈ ગુરુની કૃપાથી, ભગવાનની કૃપાથી આ ચીજ મળી જાય તેવી ચીજ નથી. ગુરુની કૃપા કૃપામાં હોય તે અંદર હોય, પ્રગટે ત્યારે માન આપે.
નિજ સ્વરૂપગ્રાહી તેનો અર્થ રાજમલજીએ કર્યો કે- જેને નિજ સ્વરૂપનું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com