________________
જગતમાં માતા-પિતાદિ જે જે તત્ત્વાએ આપણા ઉપર જે કાઇ જાતના ઉપકાર કર્યાં હાય તે ઉપકારનુ વિસ્મરણ ન થવા દેવું અને હૃદયરૂપી મંજૂષામાં તેનું સ્મ રણુ સદા સુરક્ષિત રાખવું તે ઉત્તમ માર્ગાનુસારી જીવાના સ્વભાવગત ગુણુ મનાય છે.
જેનામાં માત-પિતાદિ ઉપકારીઓના ઉપકારને સ્વીકારવાની પણ તૈયારી નથી તે મનુષ્ય ધર્મ પામવા માટે અગ્ય ઠરે છે. આ વાત શિષ્ટ જનામાં અતિપ્રસિદ્ધ છે. અને તેથી અહીં પ્રારંભમાં માતા-પિતાક્રિની ઉપમા આ લેાકમાં આપવામાં આવી છે.
અહી. આટલી વાત લૌકિક દૃષ્ટિએ થઈ. પરંતુ આ શ્લેાકમાં તેનાથી ઘણું વિશેષ કહેવાનુ છે, અને તે એ છે કે– શ્રી અરિહંત પરમાત્મા માત્ર લૌકિક માત-પિતા જેવા છે, એટલુ જ કહેવાતું નથી પણ તે ઉત્કૃષ્ટ માતા-પિતા સ્વરૂપ છે, એ વાત શાસ્ત્રકાર ભગવત આપણને આ લેક દ્વારા સમજાવવા માગે છે. ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ.
(૧) ઉત્કૃષ્ટ માતા
લૌકિક માત-પિતા ઉપકારી ખરા પરંતુ એમના ઉપકાર અમુક હદ સુધી છે. અર્થાત્ એમના ઉપકારની સીમા છે. પેાતાની હદથી બહાર તેએ ઉપકાર કરવા અસમર્થ છે. જ્યારે શ્રી અરિહંત પરમાત્મારૂપી ઉત્કૃષ્ટ માતા-પિતાના ઉપકાર અપરિમિત છે. તેની હદ નથી. લૌકિક માતપિતાના ઉપકાર કાંઇક સકારણ પણ હોય છે. શ્રી અરિહંત પરમાત્મારૂપી માતા-પિતાના ઉપકાર અકારણ હોય છે.