________________
કશ્યામાં આવતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે. ધર્મ કરતી વખતે અપેક્ષા-આલેકના ફલની ઈચ્છા રાખવી તે અંતઃકરણના પરિશુદ્ધ પરિણામને તકાલ નાશ કરે છે તથા કહપતરૂ અને ચિન્તામણિ આદિની ઉપમાઓથી પણ અધિક એવા ધર્મવડે તુચ્છ એવી કીર્તિ આદિના લાભની આકાંક્ષા ધર્મની લઘુતા કરાવનાર થાય છે, તેથી પણ તે અનુષ્ઠાન વિષ સ્વરૂપ છે.
ગરાનુષ્ઠાન-કુદ્રવ્યના સંગથી ઉત્પન્ન થનારું વિષવિશેષ-કાચાદિ દ્રવ્યને ગર કહેવાય છે. ઐહિક ભેગથી નિઃસ્પૃહ કિન્તુ સ્વર્ગસુખની પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. જેમ વિષ તત્કાલ પ્રાણનો નાશ કરે છે અને ગર કાલાન્તરે નાશ કરે છે, તેમ ગરાનુષ્ઠાન પણ પુણ્યક્ષય થયા બાદ ભવાન્તરમાં મહા અનર્થને કરનારું થાય છે.
અનનુષ્ઠાન-ઉપયોગશૂન્ય અનુષ્ઠાન-સનિપાતથી ઉપહત થયેલ મૂછિત આત્માને જેમ કેઈ પણ પ્રકારનું ભાન હેતુ નથી તેમ અતિશય મુગ્ધ એવા આત્માને કઈ પણ પ્રકારની સમજણ વિના થતું અનુષ્ઠાન, તે અનનુષ્ઠાન કહેવાય છે, સારાંશ કે એ અનુષ્ઠાન અનુષ્ઠાન જ નથી.
તત્વનુષ્ઠાન-જેમાં સદનુષ્ઠાન-તાત્વિક અનુષ્ઠાન પ્રત્યે બહુમાન છે, મુક્તિ પ્રત્યે અષ અથવા મુક્તિ પ્રત્યે કિંચિત્ અનુરાગ થવાથી શુભભાવ પણ રહે છે, તથા જે પરિણામે તાત્વિક અનુષ્ઠાનરૂપે પરિણમવાનું છે, તે તત અનુષ્ઠાન કહેવાય છે.