________________
श्री नमस्कार महामंत्राय नमो नमः ।
શ્રી નમસ્કાર મહામત્રના પ્રભાવ ઃ
इहपरलोयसुहयरो
इहपरलो दुहदलणपञ्चलओ |
एस परमेट्ठिविसओ, भत्तिपत्तो नमुक्कारो ॥ १ ॥ અ:—પરમેષ્ઠિ વિષયક ભક્તિપ્રયુક્ત આ નવકાર આલેક અને પરલાકમાં સુખને કરનારા છે. અને આàાક તથા પાલેાકના દુઃખને દળનારા છે.
આ સ`સાર અનત દુઃખાથી ભરેલા છે. તેને દુઃખના સાગર કહેવામાં અતિશયક્તિ નથી. પરંતુ જે મનુષ્યના અંતમાં 4 નમસ્કાર મહામંત્ર 97 રમણ કરતા હાય, જેણે ભાવથી તેનું શમણું લીધુ હાય, તેને આ સસારના દુઃખા લેશ પણ સ્પર્શી શકતા નથી, શ્રી નમસ્કાર મહામત્ર રૂપ નાવમાં બેસીને તે નિર્વિઘ્ને સ’સારસાગરને પાર ઉતારી જાય છે, જેમ હાથીના ટાળા વચ્ચે રહેલાં સિંહના બચ્ચાને તેના પ્રભાવને કારણે હાથી કઇ કરી શકતા નથી, તે જ રીતે જેના ચિત્તમાં આ મહામત્રરૂપી કેસરીસિ ́દ્ધ ક્રીડા કરી રહેલ છે તેને સ'સારના ઉપદ્વવારૂપી હાથીએ કાંઇ જ પીડા ઉપજાવી શકતા નથી. ચારે ગતિનાં ભયાનક દુઃખા તેનાથી દૂર ભાગે છે.
૩૨