________________
પા
કાળે પેાતાના પરમ શુદ્ધ ચિરૂપની પ્રાપ્તિ થતી નથી, એવા જ્ઞાનિએના દૃઢ નિશ્ચય છે.
છે
સયમઆચરણરૂપ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપઆચરણરૂપ ચારિત્રએ નિશ્ચયરૂપ છે. સૂયમઆચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ ચાત્રિની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપાચણુ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણ ઠાણેજ હાય છે.
સ નયના આશ્રય કરનારા મહાત્માએ એકાંત નિશ્ચયમાં ખે'ચાતા નથી, વ્યવહારને તજી દેતા નથી. જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાના અનાદર કરતા નથી, ઉત્સ ગને આદરે છે પણ અપવાદ ભૂલી જતા નથી. ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનુ' નિમિત્તપણુ' યાદ રાખે છે, એવી રીતે સાપેક્ષપણે અહર્નિશ વર્તન કરે છે.
નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઆને જે ક્રિયાઓ અતિ પ્રયજનવાઢી નથી, તેજ ક્રિયા વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમા અને છઠ્ઠા ગુણુઠાણું વ્યવહારની મુખ્યતા છે અને નિશ્ચયની ગૌત્રુતા છે, જ્યારે અપ્રમત્ત આદિ સાતમા ગુણસ્થાનકથી નિશ્ચયની મુખ્યતા છે.
વ્યવહારનયને જાણ્યા કે આર્યા વિના નિશ્ચયનય આદરવાની ઇચ્છા કરવી એ અનુપયાગી છે. શુદ્ધે વ્યવહારમાં પ્રવીણતા પ્રાપ્ત કર્યા વિના સાચા નિશ્ચયની કેંદ્ની પશુ પ્રાપ્તિ થતી નથી.
૩૪