________________
પ૪૩ અમલ કરવા માટે સામાયિક વ્રતની પ્રતિજ્ઞા અનિવાર્ય છે. સામાયિકને સીધે અર્થ સમતા છે,
ગામનઃ પ્રતાનિ ઘરેણાં ન સમાતુ-પિતાને પ્રતિકૂલ વસ્તુઓ બીજાઓ પ્રત્યે ન આચરવી એ ધર્મને સાર છે. સર્વ જી જીવવાને ઈચછે છે, કોઈ મરવાને ઈચ્છતું નથી. તે પણ જીવવાને ઈચ્છે છે, મરવાને ઇચ્છો નથી ? માટે તારે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી કે ન કરાવવી-એ તારો ધર્મ છે. જેને ધર્મની જરૂર છે, તેઓએ જીવનમાં અહિંસાને સ્થાન આપવું જ જોઈએ, અને કોઈપણ જીવની થોડી પણ હિંસા જે પિતાનાં પ્રમાદથી થાય, તે તેને અધર્મનું કારણ માનવું જોઈએ. આવી વિશુદ્ધ અહિંસાને સિદ્ધ કરવા માટે પ્રતિજ્ઞા પણ આકરી જોઈએ અને તેના પાલન માટેના નિયમો પણ દઢ જોઈએ.
અહિંસા એ ધમ છે તથા તેની સિદ્ધિ માટે સત્યાદિ
અને બ્રહ્મચર્યાદિ નિયમોને ઉપદેશ છે-વત્તે અંશે સર્વ ધર્મોમાં અપાયેલ છે. સામાયિકની પ્રતિજ્ઞામાં તે ઉપદેશને પૂર્ણતાએ પહોંચાડવામાં આવે છે. કહ્યું છે કે
“નિવમિતું શેડ્યું, જાજોનૈવ તરવતા कुशलाशयरूपत्वात् , सर्वयोगविशुद्धितः ॥ १ ॥"
અર્થ-કુશલાશયરૂપ હોવાથી અને સર્વ યુગોની વિશુદ્ધિરૂપ હોવાથી, આ સામાયિકને પરિણામ તાવિક અને એકાન્ત નિરવદ્ય છે.