________________
જે વિચાર તે જ આચાર અને જે આચાર તે જ વિચાર–એ તાવિક પરિણામ છે. સામાયિકમાં સર્વ જી સાથે મૈત્રીભાવ છે અને તેવું જ અહિંસાયુક્ત આચરણ પણ છે, તેથી તે એકાન્ત નિરવા છે. એ કારણે સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરનારથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા સૂક્ષ્મ જીવોની હિંસા પણ થઈ શકતી નથી અને તે હિંસાથી બચવા માટે ખાવા, પીવા, બેસવા, ઉઠવા, બોલવા, ચાલવા, સુવા અને જાગવા જેવી ક્રિયા કરતી વખતે પણ ઘણું સંભાળભર્યું જીવન જીવવું પડે છે. એનું જ નામ સક્રિય અહિંસા અને આત્મપગ્ય દષ્ટિનું સક્રિય પાલન છે.
સામાયિકની પ્રતિજ્ઞાના અર્થથી પ્રરૂપક શ્રી તીર્થંકરદેવ છે અને સૂત્રથી રચના કરનારા શ્રી ગણધર ભગવંતે છે.
સામ, સમ અને સમ્મ-એ ત્રણ સામાયિકનાં પર્યાય શબ્દ છે. સામ એટલે મધુર પરિણામ-સર્વ જીવો સાથે મૈત્રીનાં પરિણામ. સમ એટલે ત્રાજવા જેવા સમાન પરિણામ-સર્વ સંગ અને વિયેગો પ્રત્યે સરખા પરિણામ. સમ્મ એટલે ખીર-ખાંડની જેમ પરસ્પર મળી જવાનાં પરિણામ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાને પરિણામ, ચારિત્રરૂપ ખીરની સાથે જ્ઞાન-દરનરૂપી ખાંડ અને સાકરનું એકત્ર મળી જવું, તે સમ્મ પરિણામ છે. ટૂંકમાં સામાયિક એ સર્વ પાપવ્યાપારનો ત્યાગની અને નિષ્પાપ વ્યાપારના સેવનની પ્રતિજ્ઞારૂપ છે. તેથી તેમાં સર્વ જીવોની મૈત્રી,