Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 581
________________ પર અર્થ–આકાશ જેમ સર્વ પદાર્થોને આધાર છે, તેમ સામાયિક સર્વ ગુણોને આધાર છે. સામાયિકથી રહિત એવા ને ચારિત્રાદિ ગુણે પ્રાપ્ત થઈ શકતા નથી. તે કારણે શારીરિક અને માનસિક અનેક દુખેનાં નાશ રૂપ મોક્ષને નિરુપમ ઉપાય ભગવાને એક સામાયિકને જ કહ્યો છે. જીવ જ્યારે સમપરિણામવાળો બને છે ત્યારે પ્રતિક્ષણે નવા નવા જ્ઞાન-દર્શન-ચારિત્રનાં પર્યાયને પામે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં આ પર્યાયે અંકલેશનાં વિછેદક અને નિરુપમ સુખનાં હેતુ છે. તેથી તેને શાસ્ત્રોમાં ચિન્તામણિ, કલ્પતરુ અને કામધેનુથી પણ અધિક પ્રભાવશાળી કહ્યાં છે. અચિત્ય પ્રભાવશાળી આ સામાયિકના પરિણામની પ્રાપ્તિ જીવને સર્વ સાવદ્ય ગાને ત્યાગ કરવાથી અને નિરવ વેગેનું સેવન કરવાથી થાય છે. વસ્તુતઃ સવ જી સાથે મૈત્રી આદિ પ્રશસ્ત ભાવને ધારણ કરવાં, એ જ સામાયિક છે. પરંતુ આ ભાવને જીવનમાં સક્રિય રૂપ આપવા માટે સર્વ સાવદ્ય ગોનો ત્યાગની અને નિરવઘ યોગોનાં સેવનની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ પ્રતિજ્ઞાના ગ્રહણ અને આસેવનને સામાયિક વ્રત કહેવામાં આવે છે. આ સામાયિક વ્રતનું જ બીજું નામ અહિંસાધર્મ છે. અહિંસાધર્મમાં આત્મૌપગ્યની દૃષ્ટિ છે અને એ જ દષ્ટિ સામાયિક વ્રતમાં છે. જીવનમાં અહિંસાને પરિપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608